
બોટાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એકબાજુ મજબૂત થઈ રહી છે ત્યાં બીજી બાજુ તે જ પાર્ટીની નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે. આજે ઉમેશ મકવાણા (Umesh Makwana)એ આમ આદમી પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવો પોતાના લેટર પેડમાં ઉલ્લેખ તો કર્યો નથી. તેમણે લખ્યું કે, ‘હું આમ આદમી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપું છું…’ તો હવે અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, શું ગોપાલ ઈટાલિયા ધારાસભ્યાની ચૂંટણી જીત્યા એટલા માટે રાજીનામું આપ્યું છે કે, પછી કોઈ આંતરિક મતભેદ થયાં છે?

હું આમ આદમી પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું આપું છુંઃ ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણાએ લખ્યું કે, ‘હું આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવના પદ પર છેલ્લા 2.5 વર્ષથી સેવા આપી રહ્યો છું આ સાથે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી દંડકના રૂપે પણ સેવા કરી રહ્યો છું. અત્યારે મારી સામાજિક સેવાઓ ઓછી હોવાતી હું આમ આદમી પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું આપું છું’. પરંતુ ધારાસભ્યના પદે પરથી રાજીનામું આપ્યું છે કે કેમ? કેમ આમ આદમી પાર્ટીમાં આવા મતભેદ જોવા મળી રહ્યાં છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીતના 3 જ દિવસમાં ઉમેશ મકવાણા પાર્ટીની દરેક પદથી રાજીનામું આપે તો પ્રશ્નો થવાના જ છે?
આમ આદમી પાર્ટી સાથે ભાજપ અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા
આમ આદમી પાર્ટીથી ઉમેશ મકવાણા નારાજ હતા તેના કારણે રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. પાર્ટી પછાત સમાજના લોકોને મહત્વ ના આપતી હોવાનું પણ કહ્યું છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે હું જે આશાએ પાર્ટીમાં જોડાયો હતો જે કામ માટે પાર્ટી તરફથી ઉણપ જોવા મળી છે. એટલે મૂળ વાત એ છે કે પાર્ટીથી નારાજ હોવાના કારણે પાર્ટીના દરેક પદેથી સત્તાવાર રાજીનામું આપી દીધું છે.