ભાવનગર

કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ

તલગાજરડા, મહુવાઃ ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબાનું 75 વર્ષની વયે આજે સવારે તલગાજરડા ખાતે નિધન થયું છે. તલગાજરડા ખાતે પૂજ્ય નર્મદાબાની સમાધિની વિધિ યોજાઈ હતી. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબાના નિધનના સમાચાર પ્રાપ્ત થતા ભાવિકો મોટી સંખ્યામાં તલગાજરડા પહોંચી ગયા હતા. એટલું જ નહીં પરંતુ નર્મદાબાનું નિધન થયા તલગાજરડા ગામે આજે સંપૂર્ણરીતે બંધ રહ્યું છે.

Narmadaba, wife of storyteller Morari Bapu, passed away, breathed her last at her residence in Talgajarda

75 વર્ષની ઉંમરે નર્મદાબા સમાધિસ્થ થયા

મળતી વિગતો પ્રમાણે નર્મદાબા મોરારિબાપુ હરિયાણી 75 વર્ષની ઉંમરે ગત તારીખ 15/06/2025ની રાત્રિના સમાધિસ્થ થયા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા તેવું પણ જાણવા મળ્યું છે. આજે સવારે 08:30 કલાકે મોરારિ બાપુની ઉપસ્થિતિમાં તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી છે. આ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આપણ વાંચો:  અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું ઉત્સાહભેર આયોજન, ભગવાન મામાને ઘરે ગયા..

કથાકાર મોરારિ બાપુ માટે આ મોટી દુઃખની ઘડી

જાણીતા કથાકાર મોરારિ બાપુ માટે આ દુઃખની ઘડી છે. મહુવાના તલગાજરડાના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાઈ હતી. નર્મદાબાના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હોવાનું પણ જાણવા મળ્યું છે. નર્મદાબાનું નિધન થતા લેખક જય વસાવડા સહિત અનેક લોકોએ દુઃખની લાગણી વ્યક્તિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button