અમરેલી

સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત

તળાજા: વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2025)ની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે પણ મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો. અહીં ‘એક પેડ માં કે નામ’ (Ek Ped Maa Ke Naam) અભિયાન અંતર્ગત સેવ અર્થ મિશન (Save Earth Mission) દ્વારા 3000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષા રોપણ સાથે વૃક્ષોનું જતન કરવું પણ અનિવાર્ય

સેવ અર્થ મિશનનો વિચાર ખૂબ જ મોટો છે. કારણ કે, સેવ અર્થ મિશન દ્વારા 2040 સુધીમાં એક બે લાખ નહીં પરંતુ 3000 કરોડ વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેના માટે અત્યારથી જ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સેવ અર્થ મિશન દ્વારા આ કાર્યક્રમની શરૂઆત સરતાનપર બંદર ગામમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. અત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે એટલું જ નહીં પરંતુ તેનું જતન કરવા આવે તે પણ જરૂર છે. સેવ અર્થ મિશન દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેનું જતન કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે.

પર્યાવરણની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ

સેવ અર્થ મિશન દ્વારા ભાવનગર જિલ્લાની શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવશે. પછી આ કાર્ય આગળ વધવાનું છે પર્યાવરણની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે. કારણે કે, અત્યારે ક્લાઇમેન્ટ ખૂબ જ ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ઓઝોનનું સ્તર પણ અત્યારે પાટળું થવા લાગ્યું છે. જેથી વૃક્ષા રોપણ વધારે થયા અને તેનું એટલા જ પ્રમાણમાં જતન થાય તે અનિવાર્ય છે. વિશ્વ પર્યાવરણના દિવસે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી અને વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો.

આ પણ વાંચો….વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: ગુજરાતમાં મિયાવાકી વન કવચથી પર્યાવરણ સંરક્ષણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button