અમરેલી

બગસરાના સાપરમાં સિંહોએ 32 દૂધાળાં પશુઓનું કર્યું મારણ! 10 ઘાયલ; સ્થાનિકોમાં ભયનો માહોલ

સાપર, બગસરાઃ સિંહને જ્યારે તીવ્ર ભૂખ લાગે ત્યારે તે જંગલમાં શિકાર કરતો હોય છે. પરંતુ બગસરામાં સિંહોના ઝૂંડે 32 જેટલા ઘેટાં-બકરાંઓનું મારણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બગસરા પાસે આવેલા શાપર ગામમાં આ ઘટના બની છે. આ વિસ્તારમાં સિંહો દ્વારા અવાર નવાર મારણ કરવામાં આવતું હોવાની ઘટના બને છે. ફરી એક વારે વહેલી સવારે ચાર થી પાંચ વાગ્યે દરમિયાન સિંહો દ્વારા રહેણાક વિસ્તારમાં ઘૂસીને 32 જેટલા ઘેટાં-બકરાંનું મારણ કર્યું છે.

ટોળામાં આવેલા સિંહોએ 32 ઘેટાં-બકરાં ફાડી ખાધા

શાપર ગામમાં સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વાડામાં 42 જેટલા ઘેટા બકરા બાંધેલા હતા. આ ભરવાડ પોતાનું ગુજરાન આ ઘેટાં-બકરાંના સહારે ચલાવતો હતો. પરંતુ ગત સવાર સોમાભાઈ માટે વિકરાળ બની હતી. ટોળામાં આવેલા સિંહોએ 32 ઘેટાં-બકરાં ફાડી ખાધા અને અન્ય 10 જેટલા ઘેટાં-બકરાંને ઇજાઓ પણ પહોંચાડી હતી. સમગ્ર ઘટના બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે તમામ ઘેટાં બકરાંને ઘટના સ્થળ પરથી દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

આપણ વાંચો: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…

ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

મહત્વની વાત એ છે કે, સોમાભાઈ પોતે વિકલાંડ છે અને ઘેટાં-બકરાંના સહારે પોતાનું ગુજરાત ચલાવે છે. પરંતુ હવે આ સોમાભાઈ માટે ગુજરાનનું સાધન પડી ભાંગ્યું છે. અમરેલી જિલ્લામાં સિંહો અને દીપડાઓના વધતા હુમલાઓ ચિંતાજનક છે. શિકારની શોધમાં વન્યપ્રાણીઓ માનવ વસાહતો સુધી પહોંચી રહ્યા છે, જેથી ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. સોમાભાઈ પાંચાભાઇ ભરવાડના કુલ 32 ઘેટાં બકરાંને સિંહોએ ફાડી ખાધા છે, જેથી આ ભરવાડને વળતર ચૂકવવા ભરવાડ સમાજે માંગ ઉઠાવી છે. જે વળતરના કારણે સોમાભાઈ નવા ઘેટા બકરાની ખરીદી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button