અમરેલી

દીપડાને ઇલેક્ટ્રીક શોક લાગતા થયું મોત: અમરેલીમાં એક અઠવાડિયામાં વન્યજીવના મોતની બીજી ઘટના

અમરેલી: ગીરકાંઠાના માનવ વસ્તીવાળા વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. આવા વન્ય પ્રાણીઓ દ્વારા માનવીઓ અને તેમનાં પાલતું પ્રાણીઓ ઉપર હુમલા કરાતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જોકે, આજે શિકારીનો જ શિકાર થઈ ગયો હોય, એવી ઘટના સામે આવી છે. આજે ધારી તાલુકાના મોણવેલ ગામમાં વીજશોક લાગવાથી એક દીપડાનું મોત નિપજ્યું છે.

દીપડાને લાગ્યો ઇલેક્ટ્રીક શોક

મળતી વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતાં ખેડૂત ધનજીભાઈની વાડી નજીક આવેલ લીમડા ઝાડ પર એક દીપડો ચડ્યો હતો. દીપડાએ લીંબડા ઝાડ પરથી આ દીપડાએ નીચે છલાંગ લગાવી હતી. પરંતુ છલાંગ લગાવતી વખતે લીમડાની બાજુમાંથી પસાર થતો પીજીવીસીએલનો વીજવાયરને દીપડોને સ્પર્શ્યો હતો. પરિણામે દીપડાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી દીપડા સીધો નીચે ખાબકીને ઢળી પડ્યો હતો.

ખેતરમાં મૃત અવસ્થામાં પડેલા દીપડાને જોતા સ્થાનિકોએ વનવિભાગની અને પીજીવીસીએલની ટીમને જાણ કરી હતી. વનવિભાગે દીપડાના મૃતદેહને પી.એમ. માટે એનિમેલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં વન્યજીવોના મૃત્યુની બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના વડીયા નજીક ટ્રેનની અડફેટે આવી જવાથી વધુ એક સિંહબાળ ઇજાગ્ર્સ્ત થયું હતું. આ ઉપરાંત કોટડા ખાતે એક સિંહબાળ કૂવામાં ખાબક્યૂં હતું. જેનું રેસ્ક્યૂ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button