ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો | મુંબઈ સમાચાર
Top Newsમહીસાગર

ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી હતી. શાળા છૂટ્યા બાદ તળાવ દરવાજા પાસે ધોરણ 8ના એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો હતો.

શું છે મામલો

ઘટનાની વિગતો મુજબ, શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પગાર વિવાદમાં ડ્રાઇવર પર કર્યો છરી વડે હુમલો, ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા સામે ગુનો નોંધાયો

ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.આ પ્રકારની ઘટનાથી વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો.

અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની સ્કૂલના જ વિદ્યાર્થીએ હત્યા કરી હતી. જે બાદ મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button