અમદાવાદ

દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો આ કારણોથી મરી રહ્યા છેઃ ચિંતા કરવી હોય તો આની કરો

અમદાવાદઃ દેશમાં ઘણા એવા વિષયો પણ ચર્ચાઓ છેડાઈ જાય છે જે કંઈ જ કામના નથી. સોશિયલ મીડિયાથી માંડી અમુક પ્રસાર માધ્યમો પણ ઘણી બેબુનિયાદી વાતો પર ચર્ચા કરી વિવાદો જગાવે છે, પરંતુ દેશમાં એવા ઘણા વિષયો છે, જેના પર ચિંતા અને ચિંતન બન્નેની જરૂર છે. ભારતની સૌથી મોટી તાકાત તેના 65 કરોડ આસપાસ યુવાનો છે, પરંતુ આ યુવાનો ઘણીબધી સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે અને અકાળે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે ક્યા કારણો છે જેના લીધે યુવાવયમાં મોત થઈ રહ્યા છે. આ માટે વાંચો આ વિશેષ અહેવાલ

ભારતમાં યુવાનો (15-29 વર્ષ)ના મૃત્યુના મુખ્ય કારણોમાં આત્મહત્યા, રોડ અકસ્માત અને હૃદયરોગ ટોચ પર છે. આ ત્રણ કારણો યુવાનોના જીવનને સૌથી વધુ જોખમમાં મૂકે છે. 2020-22ના આંકડા દર્શાવે છે કે આ વયજૂથમાં 17.1% મૃત્યુ આત્મહત્યાથી, જ્યારે રોડ અકસ્માતથી 15.6% અને હૃદયરોગ 9.8% યુવાનોના મોત નોંધાય છે. આ અહેવાલ યુવાનોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા પર ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.

માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા

એક અહેવાલ મુજબ, 2022માં દેશમાં 1,70,924 આત્મહત્યા નોંધાઈ, જેમાં 15-29 વયજૂથનો હિસ્સો 67% હતો. યુવાધન આત્મહત્યા જેવો કપરા નિર્ણય સુધી પહોંચાડવાના મુખ્ય કારણોમાં કૌટુંબિક સમસ્યાઓ (32.4%), પ્રેમ સંબંધો (8%) અને દહેજના મુદ્દા (28% લગ્ન સંબંધિત કેસોમાં) છે.

રોડ અકસ્માત થતા યુવાનોના મૃત્યુ

રોડ અકસ્માતોને કારણે દેશમાં લગભગ 1,68,491 મૃત્યુ થાય છે, આ મૃત્યુમાં 66.5% યુવાનો (18-45 વર્ષ) હતા. ઘણી વખત શો ઓફ કરવા જતા ઓવર સ્પીડિંગ જેવી જોખમી કાર્ય કરવા જતા યુવાનો અકસ્માતનો ભોગ બને છે, જીવથી હાથ ધોવો પડે છે. દેશમાં ઓવરસ્પીડિંગથી 72.3% જેટલા લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવિંગથી 5.4% લોકો મૃત્યુનો ભોગ બન્યા છે.

બદલાતી જીવનશૈલીનું જોખમ

હૃદયરોગ યુવાનોમાં મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ બન્યું છે, ખરાબ આહાર, ધૂમ્રપાન, નિષ્ક્રિય જીવનશૈલી અને તણાવ આના મુખ્ય જોખમો છે. એક અહેવાલ પ્રમાણે 9.8% યુવાનો આ રોગો ભોગ બને છે. યુવાનોમાં વધતા રોગની જોતા નિષ્ણાતો પણ સલાહ કરતા હોય છે, કે આપણે સ્વસ્થ આહાર, નિયમિત વ્યાયામ, ધૂમ્રપાન છોડવું અને હૃદય સ્વાસ્થ્ય તપાસની ઍક્સેસ વધારવી જરૂરી છે.

અન્ય કારણો

2022ના રિપોર્ટ પ્રમાણે અન્ય કેટલા કારણો સર આપણો દેશ યુવાધાન ખોઈ રહ્યો છે. તેના વિષે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં યુવાનોમાં અજાણતાં થતી ઈજાથી થતા મૃત્યુનું પ્રમાણ 8.7% નોંધાયું છે. પાચન રોગોની સમસ્યાથી પિડાઈ મૃત્યુ પામતા લોકોની 6.4% નોંધાયા છે. જ્યારે શ્વસન ચેપ લાગવાથી પણ નોંધપાત્ર યુવાનો મૃત્યુ પામે છે. આવા રોગથી લગભગ 4.8% લોકોના મોત થાય છે. જ્યારે અન્ય તમામ કારણોથી 37.5% યુવાનોના મોત નોઁધાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button