ક્રેશ સાઈટ પરથી મળેલા ફોન પ્લેન ક્રેશનું રહસ્ય ખોલશે? મોબાઈલની તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થઈ હતી. ઉડાન ભરતાની ગણતરીની મીનિટોમાં તે મેઘાણીનગરની મેડિકલ હોસ્ટેલ પર પડી ભાંગી હતી. આ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા હતા. આ ફ્લાઈટમાં ક્રૂ મેમર સહિત 242 લોકો સવાર હતા. જ્યારે દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી 100થી વધુ બળી ગયેલા મોબાઈલ ફોન મળ્યા હતા. જોકે, ફોરેન્સિક ટીમ આ ફોનમાં રેકોર્ડ થયેલા ડેટા (વીડિયો અને ફોટા)ની તપાસ કરવાની તૈયારી કરી રહી છે. તપાસ ટીમ 12 જૂનના રોજ બપોરે 1:38 વાગ્યા પછીના વીડિયો અને ફોટાની તપાસ કરશે.
100થી વધુ ક્ષતિગ્રસ્ત ફોન મળ્યા
વિમાન દુર્ઘટનાને આજે આઠ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે તપાસની કામગીરી હાલ સુધી યથાવત્ છે ઘટનાસ્થળેથી એજન્સી દુર્ઘટના થવા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે ઘટનાસ્થળેથી મુસાફરો કે સ્થાનિકોના લગભગ 100થી વધુ બળેલી હાલતમાં ફોન મળ્યા છે. આ તમામ નુકસાનગ્રસ્ત મોબાઈલ ફોનનો ડેટા મેળવવાનો પ્રયાસ ફોરેન્સિક ટીમ કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ ફૂટેજ દુર્ઘટનાની અંતિમ 30-40 સેકન્ડની ઘટનાઓ સમજવામાં મદદરૂપ થશે. જ્યારે બ્લેક બોક્સ અને કોકપિટ વાયર રેકોર્ડર પણ મળ્યું છે, પરંતુ તેની તપાસમાં સમય લાગશે.
220 મૃતકના ડીએનએ મેચ
અત્યાર સુધીમાં 220 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે, જ્યારે 202 લોકો પરિવાર જનોને મૃતદેહ આપવાની કામગીર પણ પૂર્ણ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે, 12 જૂનના 1:38 મિનિટે ફ્લાઈટે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જ્યારે 1:40 ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, ત્યાર બાદ 1:42 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ખબર મળી અને 1:50 વાગ્યા સુધીમાં CISF, આર્મી, RAF અને અમદાવાદ પોલીસ રાહત કાર્યમાં જોડાઈ ગઈ.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટઃ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 204 મૃતદેહ પરિવારજનોને સોંપાયા…
રમેશ વિશ્વાસની પૂછપરછ
આ દુર્ઘટનામાં એકમાત્ર બચેલા મુસાફર વિશ્વાસ, જેઓ સીટ 11A પર હતા, તેમની ઘણી વખત પૂછપરછ થઈ, પરંતુ કંઈ સંદિગ્ધ મળ્યું નથી. જ્યારે તપાસ ટીમ હવે મોબાઈલ ફૂટેજ અને બ્લેક બોક્સના ડેટા પર આધાર રાખી રહી છે.