કોણ છે રાજુ પટેલ જેને માનવતાની મિસાલ કાયમ કરી
દુર્ઘટનાસ્થળેથી 70 તોલા સોનું અને અનેક કિંમતી સામાન મળ્યો હતો

અમદાવાદ: એક ભયાનક દુર્ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. બી.જે. મેડિકલ કોલેજ નજીક એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પરંતુ આવા સંકટના સમયે 56 વર્ષીય રાજુ પટેલે પોતાના સાહસ અને નિઃસ્વાર્થ સેવાથી લોકોનું દિલ જીતી લીધું છે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવવા માટે અથાક પ્રયાસો કર્યા અને તેમની ટીમે માનવતાનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું.
વાસ્તવમાં આખી વાત એમ છે કે, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 દુર્ઘટનાનો શિકાર બની, ત્યારે રાજુ પટેલ, જે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તે ઘટનાસ્થળથી માત્ર થોડી મિનિટો દૂર હતા. ખબર મળતાં જ તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા.
શરૂઆતમાં ભયંકર આગને કારણે કાટમાળની નજીક જવાનું અશક્ય હતું, પરંતુ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના આવ્યા બાદ તેમણે બચાવ કાર્યમાં ઝંપલાવ્યું. સાડી અને ચાદરનો ઉપયોગ કરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન તેમને 70 તોલા સોનાના ઘરેણાં, 80,000 રૂપિયા રોકડ, પાસપોર્ટ અને ભગવદ ગીતા જેવો સામાન મળી આવ્યો હતો. જે તેમણે તાત્કાલિકના ધોરણે પોલીસને સોંપી દીધો હતો.
હું ઘટનાથી ખૂબ જ ડરામાં હતી
રાજુ પટેલ અને તેમની ટીમે રાતના 9 વાગ્યા સુધી બચાવ કાર્યમાં મદદ કરી. જ્યારે ઇમરજન્સી સેવાઓએ નિયંત્રણ સંભાળ્યું, ત્યારે તેમની ટીમે મલબામાંથી મળેલી વસ્તુઓની ચકાસણી કરી અને પોલીસને સોંપી. રાજુ પટેલનું આ સાહસિક કાર્ય પહેલી વખતનું નથી. તેમણે આ અગાઉ પણ અમદાવાદ પર આવેલી આફતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ દરમિયાન પણ તેમણે રાહત કાર્યમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે “આ ઘટનાની ભયાનકતા હું ક્યારેય નહીં ભૂલું.”
આ પણ વાંચો - વિમાન દુર્ઘટના: ૧૪૦ ડૉક્ટરની ટીમે ૧૨ કલાકમાં પોસ્ટમોર્ટમનું કામ પૂર્ણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
રાજુ પટેલને સાચા હીરો બિરુદ મળ્યું
રાજુ પટેલના આ પરાક્રમે તેમને ‘સાચા હીરો’નું બિરુદ અપાવ્યું. સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે, અને ઘણા નાગરિક સંગઠનોએ તેમને ઇમરજન્સી સેવાઓમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના યોગદાનની સરાહના કરી હતી.