જગન્નાથની 148મી રથયાત્રાઃ જમાલપુર દરવાજામાં ટ્રક ફસાઈ, ખાડિયામાં ગજરાજ બેકાબૂ

અમદાવાદમાં બીજ સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આજે રથયાત્રા દરમિયાન અનેક બાબતે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જમાલપુર દરવાજા ખાતે રથયાત્રામાં ચાલતો ટ્રક ફસાઈ ગયો. પછી ખાડિયા ગોલવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો, રથયાત્રામાં વૃક્ષો વાવવાનો સંદેશ આપતો ટ્રક દેખાયો અને રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પણ જોવા મળી છે. ગજરાજ બેકાબૂ થયો તેને વનવિભાગ દ્વારા સત્વરે કાબૂમાં લાવમાં આવ્યો એટલે કોઈને હાનિ પહોંચી નહોતી.
ખાડિયા ગોલવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો
જમાલપુર દરવાજા ખાતે રથયાત્રામાં ચાલતો ટ્રક ફસાઈ ગયો હતો. દર વર્ષે ટ્રકોને જમાલપુર દરવાજાની બહારથી લઈ જવામાં આવે છેસ પરંતુ આ વર્ષે જમાલપુર દરવાજાની અંદર થઈને પસાર કરવામાં આવી હતી. જેના કારણે બે જેટલી ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ હતી. જો કે, થોડીવારમાં ટ્રકોને બહાર પણ કાઢી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ખાડિયા ગોલવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, આ ભીડ જોઈને હાથી બેકાબૂ થઈ ગયો હતો. હાથીને બેકાબુ થયેલો જોઈને લોકો ગભરાઈ ગયા અને આમતેમ ભાગવા લાગ્યાં હતાં.
148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂર થીમ પણ જોવા મળી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો ઉપગોય ઘટાડવા માટે એક ટ્રેક રથયાત્રામાં સામેલ કર્યો છે. રથયાત્રામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને 40 લાખ વૃક્ષો વાવવાનો સંદેશ આપતો ટ્રક જોવા મળ્યો. શહેર સ્વચ્છ રાખવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને 40 લાખ વૃક્ષો વાવવા માટે આ ટ્રક દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ જોવા મળી છે. ઓપરેશન સિંદૂર થીમ પર કુલ 10થી વધુ ટ્રકો ટેબ્લોમાં જોવા મળી છે. આ ટ્રેક પર બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ અને સેનાના જવાનના પહેરવેશમાં બાળકોએ જય હિંદના નારા પણ લગાવ્યાં હતા.