અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદના ટ્રાફિકે આ રીતે બચાવ્યો ભૂમિ ચૌહાણ નો જીવ

અમદાવાદ: અમદાવાદના એરપોર્ટથી ગુરુવારે લંડન જવા નીકળેલી ફ્લાઈટને 1:38 મિનીટે મેઘાણીનગરમાં ઘડાકાભેર પડી ભાંગી હતી. એર ઇન્ડિયાના વિમાન નંબર AI171 સાથે બનેલી દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. જેમાં અંદાજે 300થી વધુ લોકોના જીવ ગયા. આ દુ:ખદ ઘટનામાં ભૂમિ ચૌહાણ નામની મહિલાનો ચમત્કારીક બચાવ થયો છે. ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે તેઓ આ વિમાનમાં ચઢી શક્યા નહીં અને આ 10 મિનિટના વિલંબે તેમનો જીવ બચાવ્યો.

ભૂમિ ચૌહાણ, જે લંડનમાં પોતાના પતિ સાથે રહે છે, બે વર્ષ બાદ ભારતમાં વેકેશન માટે આવ્યા હતા. તેઓ ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન AI171થી લંડન પરત જવાના હતા. પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે તેઓ એરપોર્ટ પહોંચી શક્યા નહીં અને વિમાન ચૂકી ગયા. આ નાનકડો વિલંબ તેમના માટે જીવનદાન બની ગયો.

એક મીડિયા ઈન્ટવ્યૂહમાં ભૂમિ ચૌહાણે કહ્યું તેઓ હજુ ધ્રુજી રહ્યા છે. અને આ સમાચાર સાંભળી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની પાસે બોલવા માટે શબ્દો ન હતા. તેઓ ખુદને ભાગ્યશાળી ગણાવે છે. જેથી તેમનો દૈવી કૃપા થઈ.

આ દુર્ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવી અને X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અસરગ્રસ્તોને મદદ કરવા મંત્રીઓ અને સત્તાવાળાઓના સંપર્કમાં છે. આ ઘટના એક બોધપાઠ છે કે જીવન કેટલું અનિશ્ચિત છે, અને ભૂમિનો બચાવ એ આશાનું એક કિરણ છે.

આ પણ વાંચો…પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button