
અમદાવાદ: અમદાવાદના એરપોર્ટથી ગુરુવારે લંડન જવા નીકળેલી ફ્લાઈટને 1:38 મિનીટે મેઘાણીનગરમાં ઘડાકાભેર પડી ભાંગી હતી. એર ઇન્ડિયાના વિમાન નંબર AI171 સાથે બનેલી દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. જેમાં અંદાજે 300થી વધુ લોકોના જીવ ગયા. આ દુ:ખદ ઘટનામાં ભૂમિ ચૌહાણ નામની મહિલાનો ચમત્કારીક બચાવ થયો છે. ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે તેઓ આ વિમાનમાં ચઢી શક્યા નહીં અને આ 10 મિનિટના વિલંબે તેમનો જીવ બચાવ્યો.
ભૂમિ ચૌહાણ, જે લંડનમાં પોતાના પતિ સાથે રહે છે, બે વર્ષ બાદ ભારતમાં વેકેશન માટે આવ્યા હતા. તેઓ ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન AI171થી લંડન પરત જવાના હતા. પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે તેઓ એરપોર્ટ પહોંચી શક્યા નહીં અને વિમાન ચૂકી ગયા. આ નાનકડો વિલંબ તેમના માટે જીવનદાન બની ગયો.
એક મીડિયા ઈન્ટવ્યૂહમાં ભૂમિ ચૌહાણે કહ્યું તેઓ હજુ ધ્રુજી રહ્યા છે. અને આ સમાચાર સાંભળી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની પાસે બોલવા માટે શબ્દો ન હતા. તેઓ ખુદને ભાગ્યશાળી ગણાવે છે. જેથી તેમનો દૈવી કૃપા થઈ.
આ દુર્ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવી અને X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અસરગ્રસ્તોને મદદ કરવા મંત્રીઓ અને સત્તાવાળાઓના સંપર્કમાં છે. આ ઘટના એક બોધપાઠ છે કે જીવન કેટલું અનિશ્ચિત છે, અને ભૂમિનો બચાવ એ આશાનું એક કિરણ છે.
આ પણ વાંચો…પૂર્વ CM વિજય રૂપાણીના નિધન સાથે ‘આ’ સંયોગની ચર્ચાએ લોકોમાં જગાવ્યું કૌતુક