એ સીટે બચી ગયેલા પ્રવાસીને આપ્યું જીવનદાન?

અમદાવાદ: રામ રાખે તેને કોણ ચાખે! અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આ વાત સાચી પડી છે. વિમાનમાં સવાર 242 મુસાફરો પૈકીના એક મુસાફરનો જીવ બચી ગયો છે. આ મુસાફરનું નામ વિશ્વાસ કુમાર છે. તેનો જીવ બચવાનું કારણ છે સીટ નં. 11A. વિશ્વાસ કુમારનો જીવ બચાવવામાં આ સીટનું શું યોગદાન છે? આવો જાણીએ.
વિશ્વાસ કુમારનો કેવી રીતે બચ્યો જીવ?
બોઈંગ વિમાનની ડિઝાઈન લગભગ એક સરખી જેવી હોય છે. પરંતુ વિમાનની કંપનીઓ તેની તેની બેઠક વ્યવસ્થા પોતાના હિસાબે કરી શકે છે. એર ઈન્ડિયાની એઆઈ 171 ફ્લાઈટમાં વિશ્વાસ કુમાર જે સીટ પર બેઠો હતો. તે વિંડો સીટ હતી. જે ડાબી બાજુની પહેલી બારી સીટ હતી. અહીંથી ઈકોનોમી ક્લાસ શરૂ થાય છે. એટલે કે વિશ્વાસ કુમાર જે સીટ પર બેઠો હતો તેની સામેના ભાગમાં ઈકોનોમી ક્લાસની પહેલી હરોળ હતી. વિંડો સીટ સીધી બહારની બાજુ ખુલે છે અને મુખ્ય કેબિનની નજીક હોવાના કારણે બચાવ કામગીરી પણ સરળતાથી થઈ શકે છે.
વિમાનમાં ક્યાં હતી 11A નંબરની સીટ
11A સીટ બિઝનેસ ક્લાસમાં હોય છે. આ સીટની બરાબર સામે વોશરૂમ અને કેબિન ડિવાઈડર પણ હોઈ શકે છે. જેથી આ સીટને હળવો સેફ ઝોન માની શકાય છે. આ વિભાગની સીટ સામાન્ય ઈકોનોમી કરતા વધારે આરામદાયક હોય છે. આ સીટ સામેની સીટની સરખામણીમાં થોડી પાછળ અને ડાબી બાજુ હોય છે. જો વિમાન ટેક ઓફ બાદ તરત ક્રેશ થઈ જાય છે કે, ફ્રંટ કોકપિટ અને મિડબોડીના ભાગ પર સૌથી વધારે અસર થાય છે. આવા સંજોગોમાં સીટ 11A જેવી બારી વાળી અને સાઈટ ઓફસેટની સીટ પર બેસેલા વ્યક્તિના બચવાની સંભાવના સૌથી વધારે હોય છે.
બિઝનેસ ક્લાસની 11 A સીટની વિશેષતા
બિઝનેસ અથવા પ્રીમિયમ સીટ પર સારી સુરક્ષા ફ્રેમ હોય છે. આ સીટોમાં બોડી-શોક એબ્ઝોર્બિંગ મટિરીયલ, મોટી બેકિંગ અને ફાયર રેટર્ડેંટ કવરિંગ હોય છે. જેથી દુર્ઘટનાના કિસ્સાઓમાં ઝાટકો લાગવાની અને સળગવાની સંભાવના ઘટી જાય છે. આ સીટ એક્ઝિટ ગેટની પાસે હોય છે. જેથી તરત બહાર નિકળવાનો મોકો મળે છે. જો સીટ 11A ઈમરજન્સી એક્ઝિટની પાસે હતી તો વિશ્વાસ કુમારને ધુમાડો અને આગ ફેલાય એની પહેલા બહાર નિકળવાનો મોંકો આપી શકતી હતી. આ દુર્ઘટનામાં તેને ગોલ્ડન મિનિટ કહેવાય છે. જે યાત્રીનું નસીબ બદલી શકે છે.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…
ઉલ્લેખનીય છે કે, જો વ્યક્તિ બારી અથવા ઇમરજન્સી ગેટ પાસે બેઠો હોય, તો તે વધુ સુરક્ષિત હોય છે. એક્ઝિટ ગેટ તેને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરે છે. પરંતુ દુર્ઘટના પ્રમાણે પરિસ્થિતિ જુદીજુદી હોય છે. વિશ્વાસ કુમારનું નસીબ તેની સાથે હતું. કારણ કે પહેલા તેનો સીટ નં. 11J હતો. જે બોર્ડિંગ પાસ પર બદલાઈને 11A થઈ ગયો હતો. જેથી તેને પોતાનો જીવ બચાવવાનો મોંકો મળી ગયો.