અમદાવાદ

સાબરમતી નદીમાં ચાલતુ સફાઈ અભિયાન પૂર્ણ, 90 હજાર લોકોએ મળીને 901 મેટ્રિક ટન કચરો કાઢ્યો

અમદાવાદઃ અમદાવાદની શોભા સમાન સાબરમતી નદીમાં ચાલતુ સફાઈ (Sabarmati River) પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. નદીને સ્વચ્છ બનાવવા માટે 90753 લોકો જોડાયા હતાં. એટલું જ નહીં પરંતુ 314 જેટલા વાહનો સાથે સાબરમતી નદીની સફાઈ (Sabarmati River Cleanup Campaign) કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 90753 લોકોએ 901 મેટ્રિક ટન કચરો બહાર કાઢીને સાબરમતી નદીને સ્વચ્છ બનાવી છે. નદીના સફાઈ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 90753 નાગરિકોએ ભાગ લીધો હતો. હવે આગામી 1થી 2 દિવસમાં ફરી સાબરમતી નદીમાં પાણી જોવા મળશે. ફરી એકવાર સાબરમતી નદી અમદાવાદ (Ahmedabad) શહેરની રોનકમાં વધારે કરશે.

આગામી 1થી 2 દિવસમાં ફરી સાબરમતી નદીમાં પાણી જોવા મળશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વાસણા બેરેજના દરવાજા રીપેરિંગ કરવાના હોવાથી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી હતી. જેથી સાથે સાથે નદીની પણ સફાઈ થઈ શકે. આ સાબરમતી નદીમાં ફેલાયેલા કચરાને પણ બહાર કાઢવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)એ મહાઅભિયાન શરૂ કર્યું હતું. આ મહાઅભિયાનમાં નદીમાંથી 901 મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે.

15મી મે થી 4થી જૂન સુધી સફાઇ અભિયાન ચાલ્યું

સફાઈ મહાઅભિયાન દરમિયાન નદીમાંથી પ્લાસ્ટિક, પૂજાપા સહિતની વિવિધ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, અમદાવાદ મહાનગરપોલિકાએસફાઈ અભિયાનમાં અનેક એનજીઓ, શૈક્ષણિક સંકુલો સહિતના એકમોની મદદ લીધી હતી. સાબરમતી નદીમાં 15મી મે થી 4થી જૂન સુધી સફાઇ અભિયાન ચાલ્યું હતું. આ દરમિયાન કુલ 90753 જેટલા નાગરિકોએ ભાગ લીધો અને નદીના પટમાંથી 901.5 મે.ટન જેટલો કચરો બહાર કાઢ્યો હતો. નોંધનીય છે કે, તંત્ર દ્વારા આ સફાઈ અભિયાન માટે જેસીબી મશીનો, ટ્રકની મદદ લીધી અને સાબરમતી નદીમાંથી કાઢેલા કચરાને અન્ય જગ્યાએ નાખવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ સફાઇ કામગીરીને સત્તાવાર રીતે પૂર્ણ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો….વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી નદી સ્વચ્છતા મહાઅભિયાન: ૫૭૦૦થી વધુ હોમગાર્ડઝ અને સ્વયંસેવકો જોડાશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button