વાત બે વિમાન દુર્ઘટનાની, પણ ચત્મકાર એક જ સીટનો

અમદાવાદ: 12 જૂનના દિવસે બપોરના સમયે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 શહેરના મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થઈ હતી. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે થોડી જ ક્ષણો દુર્ઘટના ગ્રસ્ત બની હતી. આ ફ્લાઈટમાં ક્રુ મેમર સહિત 242 લોકો સવાર જેમાંથી એક માત્ર વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો હતો. વિશ્વાસ કુમાર આ ફ્લાઈટમાં 11A સીટ નંબર પર સવાર હતા.
આ દુર્ઘટના બાદ થાઇલેન્ડના ગાયક રુઆંગસાક લોયચુક્સ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના શેર કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ 1998માં થયેલા ભયંકર વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા, જેમાં 101 લોકો મૃત્યુ પામ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, તે સમયે તેઓ સીટ નંબર 11A પર બેઠા હતા. આ એ જ સીટ નંબર છે જે તાજેતરના એર ઇન્ડિયા અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વિશ્વાસ કુમારનો હતો. આ ઉપરાંત તેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
જણાવી દઈએ કે લોયચુક્સ જે ફ્લાઈટમાં સવાર હતા તે થાઈ એરલાન્સની TG261 હતી. તેઓ બેંકોક થી સુરત એરપોર્ટ સુધીનો સફળ કરવાના હતા. ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ બહાર થતા ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 132 મુસાફરોમાંથી 101 અને ક્રૂના 14 સભ્યોનું મૃત્યુ થયું હતું, જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા. લોયચુક્સ આ જીવનને પોતાનું બીજું જીવન કહે છે. તે ભયાનક અનુભવ પછી તેણે જે માનસિક તણાવનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, ‘અકસ્માત પછી, હું 10 વર્ષ સુધી વિમાનમાં મુસાફરી કરતા ડરતો હતો. સામાન્ય ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હોય તો પણ મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.’
થાઈ ગાયિકાના ભયાનક અનુભવ
થાઈ ગાયકે કહ્યું, ‘હું કોઈની સાથે વાત કરવાનું ટાળતો હતો અને હંમેશા બારી બહાર જોતો રહેતો હતો. હું એટલો ડરી ગયો હતો કે મેં કોઈને બારી બંધ કરવા દીધી નહીં. જો મને બહાર કાળા વાદળો કે વરસાદ દેખાય તો મને એવું લાગતું હતું કે હું નર્કમાં છું.’
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર પણ સીટ નંબર 11A પર બેઠા હતા. આ અકસ્માતમાં 242 મુસાફરોમાંથી તે એકમાત્ર બચી ગયા હતા. તેમણે પોતાના ભાઈ અજય કુમારને ગુમાવ્યો, જે સીટ નંબર 11J પર બેઠો હતો. વિશ્વાસ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. તેનો ભાઈ અજય મૂળ દીવનો હતો. બંને ભાઈઓ છેલ્લા 15 વર્ષથી બ્રિટનમાં રહેતા હતા.