
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગવેલ લીવીંગવેલનો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં ૨૨૦૪.૮૫ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
મુખ્ય પ્રધાન સમક્ષ સંબંધિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોએ સ્થાનિક જરૂરિયાત મુજબના વિકાસ કામો માટે સામાન્ય સભામાં મંજૂરી લઈને નાણાં ફાળવવાની કરેલી માંગણી અનુસાર મુખ્ય પ્રધાને આ રકમ ફાળવવાની અનુમતિ આપી હતી
શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તીકરણથી વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના શહેરોના નિર્માણનો હેતુ વિકાસ કામોની આ સૈદ્ધાંતિક મંજૂરીઓમાં અભિપ્રેત છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં ૨૦૨૪-૨૫ના ગત વર્ષના બજેટ કરતા ૪૦ ટકા વધારો કરીને ૩૦,૩૨૫ કરોડ રૂપિયા ફાળવ્યાં હતા.
તેમણે નાગરિક કેન્દ્રીત શહેરોના નિર્માણને કેન્દ્રસ્થાને રાખીને આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકોમાંથી જે તે નગર-મહાનગરની જરૂરિયાત મુજબના કામો માટે નાણા ફાળવવા અનુમતિ આપી હતી.
મુખ્ય પ્રધાને શહેરી વિસ્તારોમાં સડકોના નિર્માણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૫૯૭.૭૩ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા હતા. આ કામો અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં ૮૫૭ જેટલા માર્ગોના કામો કારપેટ, રી-કારપેટ, હયાત રસ્તા પહોળા કરવા, નવા બનાવવા, સી.સી. રોડ એમ બહુવિધ કામો માટે ૪૬૪.૯૨ કરોડના કામ કામો મંજૂર કર્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકામાં ચાર માર્ગીય રસ્તા, આરસીસી, મેટલ ગ્રાઉટીંગ જેવા રસ્તાઓના ૨૦ કામો માટે રૂ.૬૮ કરોડ તેમજ જામનગર મહાનગરપાલિકાને સી.સી. રોડના ૧૮ કામો માટે રૂ.૪૩.૮૧ કરોડના કામોની સિદ્ધાંત મંજૂરી આપી હતી. મુખ્ય પ્રધાને નવરચિત મહેસાણા મહાનગરપાલિકાને ૨૧ કરોડ રૂપિયાના નવા માર્ગો બનાવવા, અન્ડર પાસના, એપ્રોચ રોડ બનાવવા વગેરે માટે ફાળવ્યા છે.
આપણ વાંચો: ગુજરાતના શહેરોના ઝડપી વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તેમણે નગરો-મહાનગરોમાં ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર લાઈન, ગાર્ડન, લાઇબ્રેરી, રિચાર્જ વેલ, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો અંતર્ગત સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કુલ મળીને ૧૨૪૯.૩૮ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી હતી.
તદ્અનુસાર, ૩ નવરચિત મહાનગરપાલિકાઓ પોરબંદરને રૂ.૨૦૦.૩૫ કરોડ, આણંદને રૂ.૪ કરોડ તેમજ મહેસાણાને રૂ.૨૫૬ કરોડ સહિત ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૪૫૧ કરોડ અને જામનગરને રૂ.૩૧૭ કરોડ તથા ગાંધીનગર મહાનગરને રૂ.૧૭૧ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
મુખ્ય પ્રધાને આઉટ ગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ માટે રોડ-રસ્તાના કામો, ભૂગર્ભ ગટર, બોક્સ ડ્રેઈન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે કુલ ૧૭૦.૦૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
આ કામોથી ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૭૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ.૬૬.૯૧ કરોડ, મહેસાણા મહાનગરપાલિકાને રૂ.૨૨.૫૦ કરોડ તેમજ ગોધરા નગરપાલિકાને રૂ.૭.૯૯ અને ગણદેવીને રૂ.૧.૬૮ કરોડના કામો હાથ ધરવા અનુમતિ આપી હતી.
આપણ વાંચો: ગાંધીનગરના વિકાસને મળશે વેગ, સરકારે ડ્રેનેજ અને પીવાના પાણી પ્રોજેકટ માટે 600 કરોડ ફાળવ્યા
તેમણે ત્રણ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને કેનાલ સાઈડ પ્રોટેકશન વોલ, ડી.પી. રોડના બાંધકામ, લાઇબ્રેરી બિલ્ડિંગ વગેરે માટે કુલ ૨૦.૧૯ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા હતા.
મુખ્ય પ્રધાને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ.૧૧.૬૨ કરોડ, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. ૧.૪૦ કરોડ અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. ૭.૧૭ કરોડના કામો હાથ ધરવા અનુમતી આપી હતી.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના કામો માટે વડોદરા મહાનગરપાલિકાને પેવર બ્લોક, ગટર જોડાણના કામો માટે ર.૪૯ કરોડ, કડી નગરપાલિકાને રૂ.૨.૨૯ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૦.૮૩ કરોડ, આણંદ મહાનગરપાલિકાને ૩.૩૭ કરોડ તથા પાલનપુર નગરપાલિકાને ૦.૨૪ કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ મુખ્ય પ્રધાન આપી હતી.
આ ઉપરાંત મુખ્ય પ્રધાને અંકલેશ્વર નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા સીનીયર સીટીઝન ગાર્ડનના આગવી ઓળખના કામો માટે ૭.૯૧ કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી હતી.