અમદાવાદટોપ ન્યૂઝ

રથયાત્રા 2025: પહિંદ વિધિમાં કેમ થાય છે સોનાની સાવરણીનો ઉપયોગ? જાણો ધાર્મિક કારણ…

અમદાવાદ: અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. આજનો દિવસ ઐતિહાસિક રથયાત્રા માટે પણ જાણીતો છે. ભારતમાં રથયાત્રાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે બંને ભાઈ પોતાની બહેન સાથે પોતાના રથમાં બેસીને નગરચર્યા કરવા માટે નીકળે છે. જે દેશની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. જેની શરૂઆત પહિંદ વિધિથી કરવામાં આવે છે. આ પહિંદ વિધિ શું છે? આવો જાણીએ.

પહિંદ વિધિ કેવી રીતે કરવામાં આવે છે?
રથયાત્રાના દિવસે જગન્નાથપુરીના રાજાઓના વંશજો સાવરણી વડે રથની આગળનો રસ્તો સાફ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હતા. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે, એ સાવરણી સોનાની હોતી હતી. આજે પણ સોનાની સાવરણી વડે જ પહિંદ વિધિ કરવામાં આવે છે.

પહિંદ વિધિમાં સોનાની સાવરણીનો જ ઉપયોગ કેમ થાય છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનુ ખૂબ જ પવિત્ર ધાતુ છે. દેવી-દેવતાઓની પૂજામાં આ ધાતુનું વિશેષ સ્થાન છે. તેથી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ફક્ત સોનાના સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. સોનાને ગુરુ ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનું કારણ છે. તેથી રથયાત્રાની શરૂઆતમાં સોનાના સાવરણીથી સફાઈ કરવાથી યાત્રા શુભ સાબિત થાય છે.

ઉલ્લેખનીય છે કે, જગન્નાથપુરી બાદ અમદાવાદમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં 400 વર્ષ જૂના ભગવાન જગન્નાથના મંદિરેથી રથયાત્રા નીકળે છે. આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button