રાજ્યમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો! 19 જળાશય હાઇએલર્ટ પર, આ રહ્યા 24 કલાકના સંપૂર્ણ આકંડા

અમદાવાદઃ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદની સામે 31.62 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જે છેલ્લા 10 વર્ષમાં પહેલા વરસાદ કરતા વધારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વિસ્તાર પ્રમાણેના આંકડા જોવામાં આવે તો, કચ્છમાં સરેરાશ વરસાદ સામે 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ સામે 23.53 ટકા, પૂર્વ મધ્યમાં સરેરાશ વરસાદ સામે 33.35 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ સામે 32.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદ સામે 34.25 ટકા સાથે ગુજરાતમાં સરેરાશ વરસાદ સામે 31.62 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 15.31 ટરા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો
વધારે વિગતે વાત કરવામા આવે તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી જિલ્લામાં 3.46 ઈંચ, વલસાડ જિલ્લામાં 3.23 ઈંચ, વલસાડના વાપી તાલુકામાં 2.60 ઈંચ અને પંચમહાલ જિલ્લામાં 2.60 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને શહેરોમાં પહેલા વરસાદના કારણે રોડ પર ખાડા પડી ગયા છે. જેના કારણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઉવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
રાજ્યમાં અત્યારે કુલ 19 ડેમ અત્યારે હાઇએલર્ટ પર
વરસાદના કારણે જળાશયોમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે. ટકાવારીની વાત કરવામં આવે તો, અત્યારે ગુજરાતમાં 13 ડેમ 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 33 ડેમ 70 ટકાથી વધારે, 34 ડેમ 50 ટકાથી વધારે, 59 ડેમ 25 ટકાથી વધારે અને 67 ડેમો 25 ટકાથી પણ ઓછા ભરાયા છે. આ સાથે 19 ડેમ અત્યારે હાઇ એલર્ટ પર, 13 ડેમ એલર્ટ પર અને 14 ડેમ વોર્નીગ પર છે. જે ડેમ હાઈ એલર્ટ પર છે તેની આસપાસના વિસ્તારોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
વરસાદના કારણે કુલ 3,703 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ગુજરાતમાં વરસાદના કારણે જનજીવનને પણ અસર થતી હોય છે. આંકડાની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં એટલે કે 2025ના ચોમાસામાં બોટાદમાં 117 લોકો, અમરેલીમાં 80 લોકો, ભાવનગરમાં 2308 લોકો, સુરેન્દ્રનગરમાં134 લોકો, તાપીમાં 02 લોકો, નર્મદામાં 79 લોકો, સુરતમાં 266 લોકો, પંચમહાલમાં 500 લોકો, વડોદરામાં 173 લોકો અને નવસારીમાં 44 લોકો સાથે રાજ્યમાં કુલ 3,703 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદના કારણે ભસાયેલા કુલ 676 લોકોનું રેક્સ્યુ પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ