
અમદાવાદ: આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે વિમાન ડોક્ટરની હોસ્ટેલ પર ક્રેશ થયું છે.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ ક્રેશ થયેલા બોઇંગ 787-8 એરક્રાફ્ટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 શરુ કર્યો છે.
અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ફ્લાઈટ ટેક ઓફ થયાના 2-3 મિનીટમાં જ ક્રેશ થઇ ગઈ હતી. વિમાન જે બિલ્ડીંગ પર પડ્યું હતું એ ડોક્ટર્સની હોસ્ટેલ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, લગભગ 70-80 ટકા એરિયા ક્લીયર કરવામાં આવ્યો છે, બાકીની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાક હતી
આ દુર્ઘટનામાં 100થી વધુના મોતની આશંકા છે, બચાવ કામગીરી ચાલી રહી છે.