અમદાવાદટોપ ન્યૂઝ

Ahmedabad Plane Crash: વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અમદવાદ જવા રવાના

અમદવાદ: આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઇ હતી. આ વિમાન બોઇંગનું B787 VT-ANB એરક્રાફ્ટ હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 100થી વધુના મોતની આશંકા છે, બચાવ કામગીરી ચાલી રહી છે.

આહેવાલ મુજબ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ માટે રવાનાથી ગયા છે. ગૃહ પ્રધાન અમિત શાહ પણ અમદવાદ જી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી હતી. વડાપ્રધાને તેમને અમદાવાદ જવા અને હવાઈ દુર્ઘટનાના પગલે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુ સાથે વાત કરી અને અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાની ઘટના વિષે માહિતી મળેવી હતી. નાયડુએ વાડાપ્રધાનને જણાવ્યું હતું કે તેઓ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે.

રામમોહન નાયડુની ઓફીસના જણવ્યા મુજબ કાર્યાલય વડાપ્રધાને નાયડુને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા અને પરિસ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ રાખવા નિર્દેશ આપ્યો છે. બધી સંબંધિત એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, અને સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે:

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશઃ 100 જણના મોતની આશંકાઃ વિજય રૂપાણી મામલે…

ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે X પર લખ્યું , “અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો અને દુઃખ થયું. અમે હાઈ એલર્ટ પર છીએ. હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને તમામ એવિએશન અને ઈમરજન્સી રિસ્પોન્સ એજન્સીઓને ઝડપી અને સંકલિત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. બચાવ ટીમોને મોકલવામાં આવી છે, અને તબીબી સહાય અને રાહત સહાય સ્થળ પર પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારી ભાવના અને પ્રાર્થનાઓ વિમાનમાં સવાર બધા લોકો અને તેમના પરિવારો સાથે છે.”

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના ડાયરેક્ટર જનરલ ટીમ સાથે તપાસ માટે અમદાવાદ રવાના થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button