અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટઃ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 204 મૃતદેહ પરિવારજનોને સોંપાયા…
સારવાર હેઠળ રહેલી બે વ્યક્તિનું નિધન થતાં કુલ 204 પાર્થિવ દેહ સોંપાયા, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ આપી જાણકારી

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે સુધીમાં કુલ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું કે, DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના નાગરિક, 36 બ્રિટિશ નાગરિક અને 01 કેનેડિયન છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 20 જૂનના રોજ સવારે 11:50 વાગ્યા સુધીમાં ૨૨૩ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૨૨૦ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી ૨૦૨ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે આ અંગે આપી સમગ્ર વિગતો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ 204 મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે. કુસ 223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે. વધુમાં ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 189 જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યાં હતાં.
15 મૃતદેહને હવાઈ માર્ગે, જ્યારે 189 મૃતદેહોને સડક માર્ગે મોકલમાં આવ્યાં
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું કે, અત્યારે જે 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, 21 વડોદરા, ૧૧ ખેડા, 58 અમદાવાદ, 6 મહેસાણા, 01 બોટાદ, 01 જોધપુર, 01 અરવલ્લી, 21 આણંદ, 07 ભરૂચ, 11 સુરત, 01 પાલનપુર, 06 ગાંધીનગર, 02 મહારાષ્ટ્ર, 14 દીવ, 01 જુનાગઢ, 02 અમરેલી, 05 ગીર સોમનાથ, 01 મહીસાગર, 01 ભાવનગર, 01 પટના, 03 રાજકોટ, 09 મુંબઈ, 01 નડિયાદ, 02 જામનગર, 02 પાટણ, 02 દ્વારકા, 02 સાબરકાંઠા, 02 નાગાલેન્ડ, 02 લંડનમાં અને મોડાસામાં 01 મૃતદેહ મોકલવામાં આવ્યા છે.
આપણ વાંચો : અમદાવાદ પ્લેનક્રેશની જગ્યા ફેરવાઈ જશે સ્મારકમાંઃ જાણો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ અંગે સરકારે શું લીધો નિર્ણય