અમદાવાદ

રથયાત્રાના રોડ પર આવતા 525 જર્જરિત મકાનોને નોટિસ, જાણો કેવી છે રથયાત્રાની તૈયારી

અમદાવાદઃ અમદાવાદમાં ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. જેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જ્હાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘રથયાત્રા રાબેતા મુજબ દર વર્ષે નીકળે છે તેવી રીતે જ નીકળવાની છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા દર વર્ષની જેમ એજ નિયત રુટ પર જ નીકળશે’. લોકોને આશંકાઓ હતી કે આ વર્ષે રથયાત્રામાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે, પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીના કહ્યા પ્રમાણે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે વધારે વિગતે એકથી બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવશે.

14 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું

ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રાને લઈ મેયર અને પદાધિકારીઓ દ્વારા 14 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે રથયાત્રાના રોડ પર આવતા 525 જર્જરિત મકાનોને કોર્પોરેશનને નોટિસ આપી છે. આ સાથે સાથે 50 જર્જરીત મકાનો સામે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન બે લોકોના મોત થયાં હતા. જેથી આ વર્ષે પહેલા જ સાવચેતીના પગલા ભરવામાં આવ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ બનશે હેરિટેજ રૂટ

રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ અત્યારે કામ ચાલી રહ્યું છે. રથયાત્રાની રૂટની વાત કરવામાં આવે તો, જગન્નાથની રથયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા, ખાડિયા, કાલુપુર થઈને સરસપુર મોસાળ જશે. ત્યાર બાદ રથયાત્રા પરત કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા થઈને પરત જમાલપુર મંદિરે આવશે. તેની મોટાભાગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં રાબેતા મુજબ થવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શને આવવાના છે.

આ પણ વાંચો…ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button