અમદાવાદ

ગૃહ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલની નવી તારીખ જાહેર

અમદાવાદ: પાકિસ્તાન સાથેની સરહદ પર આવેલા ભારતના રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સંરક્ષણની તૈયારીઓ ચકાસવા માટે આયોજિત ‘ઓપરેશન શિલ્ડ‘ મોકડ્રીલની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ ગુરુવાર, 29 મેના રોજ યોજાનારી આ મોકડ્રીલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી.

હવે આ મોકડ્રીલ 31 મેના રોજ યોજાશે. ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવા સરહદી રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.

આપણ વાંચો: ભારત – પાકિસ્તાન તણાવ: મહારાષ્ટ્રના ધાર્મિક-પર્યટક સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા

‘ઓપરેશન શિલ્ડ’નો હેતુ અને અગાઉના પ્રયાસો

‘ઓપરેશન શિલ્ડ’ હેઠળ સિવિલ ડિફેન્સની તૈયારીઓને ચકાસવાનો મુખ્ય હેતુ છે. આ મોકડ્રીલ ગુરુવાર સાંજે 5 થી 8 વાગ્યા સુધી યોજાવાની હતી.

ઉલ્લેખનીય છે કે આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સંભવિત કટોકટી અથવા આપત્તિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ દળોની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. જોકે, કેટલાક વહીવટી કારણોસર તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

સરકારી સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા આ અંગે તમામ સિવિલ ડિફેન્સ કંટ્રોલર્સ અને અન્ય હિતધારકોને જાણ કરવામાં આવી હતી.

રાજ્યભરમાં આ મોકડ્રિલની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેને આગામી સૂચના ન મળે ત્યાં સુધી રોકી દેવામાં આવી હતી. તેમજ મોક ડ્રીલ માટેની નવી તારીખ અને અન્ય વિગતો આગામી સામેમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આપણ વાંચો: શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બની ધમકી, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

પૂર્વ તૈયારીઓ અને સુરક્ષાનો સંદર્ભ

આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલનો આદેશ આપ્યો હતો. જોકે, ભારતે 6-7 મેની રાત્રે જ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સૈન્ય કાર્યવાહી કરી હતી.

આ મોકડ્રીલનું આયોજન દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓને સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button