બગોદરામાં પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપધાત, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ | મુંબઈ સમાચાર
અમદાવાદટોપ ન્યૂઝ

બગોદરામાં પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપધાત, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદ: બગોદરા તાલુકામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એક પરિવારની આત્મહત્યાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બગોદરા બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં આ ઘટના બની હતી. ધોળકા તાલુકાનો વાઘેલા પરિવાર અહીં ભાડે રહેતો હતો. પરિવારના સભ્યો વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (34), સોનલબેન (26), તેમની બે પુત્રીઓ સિમરનબેન (11), પ્રિન્સીબેન (5) અને પુત્ર મયુરભાઈ (8) એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ છે.

આ પરિવાર મૂળ ધોળકાના બારકોઠા દેવીપૂજક વાસનો હતો અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનો મોભી વિપુલભાઈ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે પરિવારમાં આર્થિક તંગીને કારણે આપઘાત કર્યા હોવાની આશંકા સેવાય રહી છે. જો કે, સ્પષ્ટ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લઈને તપાસ આગળ વધારી છે, પરંતુ હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button