
અમદાવાદ: ભારતની સરહદો પર પાકિસ્તાનનાં હુમલાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. નિવાસી અધિક કલેકટર બી.આર.સાગર દ્વારા હસ્તાક્ષરિત આ આદેશમાં કચેરીના તમામ શાખાધિકારીઓ, અધિકારીઓ અને તાબા હેઠળની તમામ કચેરીઓના કર્મચારીઓની મંજૂર કરવામાં આવેલી તમામ પ્રકારની રજાઓ (મેડિકલ રજા સિવાયની) અન્ય હુકમ ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે.
તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવા આદેશ
આદેશમાં તમામ સંબંધિત કર્મચારીઓને તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવા જણાવવામાં આવ્યું છે અને આ અંગેનો રિપોર્ટ તાત્કાલિક કચેરીને મોકલી આપવા સૂચના આપવામાં આવી છે. વધુમાં, માનનીય કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વગર કોઈપણ કર્મચારીને હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સંજોગોને જોતા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તમામ કર્મચારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા સૂચિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…રજાઓ રદ, શાળાઓ બંધ: પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહિત રાજ્યોમાં હાઇ એલર્ટ