અમદાવાદ

પ્લેન ક્રેશ: બોઇંગ 787 અને જોન બોર્નેટની ચોંકાવનારી ચેતવણી, કોણ છે?

અમદાવાદ: ગુરૂવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. મેઘાણીનગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકો બળીને રાખ થઈ ગયા છે. આવા સંજોગોમાં અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે રવાના થયેલા બોઈંગ 787 ડ્રીમલાઈનર અંગે પણ કેટલાક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે બોઈંગ વિમાનની વાત આવે ત્યારે જોન બોર્નેટે આપેલી ચેતવણીઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

કોણ છે જોન બોર્નેટ?

જોન બોર્નેટ અમેરિકાનો નિવાસી હતો. વર્ષ 1985માં બોઈંગ કંપનીમાં જોડાયો હતો. 2010માં તેને કંપનીએ ક્વોલિટી મેનેજર બનાવ્યો હતો. ક્વોલિટી મેનેજરના પદ પર રહીને જોન બોર્નેટને બોઈંગ કંપનીના વિમાનો વિશે કેટલીક અગત્યની બાબતો ધ્યાને આવી હતી. તેમણે ખાસ કરીને બોઇંગ 787 ડ્રીમલાઈઇનરની સુરક્ષા વ્યવસ્થાને લઈને કંપની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: શું Boeing 787-8માં ખામીઓ છે? ભારત સરકાર તમામ ડ્રીમલાઇનર ગ્રાઉન્ડ કરી શકે છે…

ડ્રીમલાઈઇનર અંગે આપી હતી ચેતવણી

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જોન બોર્નેટે બોઇંગ કંપની સામે આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બોઈંગ કંપની દ્વારા સમયમર્યાદામાં કામ પૂરૂ કરવા માટે કર્મચારીઓને વિમાનમાં ખરાબ ભાગ લગાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સ્ક્રેપમાં આવેલા વિમાનના ખરાબ ભાગોને કાઢીને વિમાનમાં લગાવવામાં આવતા હતા. કંપની દ્વારા અવલોકલનોને ખોટી રીતે પૂરા કરવા માટે સુરક્ષાના મુદ્દાઓ છુપાવવા કર્મચારીઓ પર દબાણ કરવામાં આવતું હતું. આ સિવાય તેમણે એક ચોંકાવનારી વાત કરી હતી કે, “બોઇંગ 787 ડ્રીમલાઇનરની ઉડાન દરમિયાન 25 ટકા ઇમરજન્સી ઓક્સિજન સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે.

જોન બોર્નેટે 2017માં આપ્યું હતું રાજીનામું

2017માં જોન બોર્નેટે પોતાના દાવાઓને લઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં પુરાવા સાથે ફરિયાદ પણ દાખલ કરી હતી. જેને લઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા બોઈંગ કંપનનીને સુધારાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે 2017માં જોન બોર્નેટે બગડતા સ્વાસ્થ્યને લઈને બોઇંગ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.

જોન બોર્નેટે કરી આત્મહત્યા

નિવૃત્તિ લીધા બાદ પણ જોન બોર્નેટે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન(OSHA)માં વ્હીસલબ્લોઅર તરીકે બોઇંગ સામે ફરિયાદ કરી હતી. પરંતુ ચાર વર્ષ બાદ ઓએસએચએ દ્વારા બોઇંગ કંપનીના પક્ષમાં નિર્ણય સંભળાવીને તેમની ફરિયાદોને બંધ કરી દીધી હતી. 2022માં નેટફ્લિક્સ દ્વારા ‘ડાઉનફોલ: ધ કેસ એનેંસ્ટ બોઈંગ’ બનાવવામાં આવી હતી, જેમાં જોન બોર્નેટ નજરે પડ્યો હતો. જોકે 9 માર્ચે 2024ના રોજ તેણે બંદૂક વડે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button