અમદાવાદ

જગન્નાથ રથયાત્રા પર તોળાતું કોરોના સંકટ! જાણો આરોગ્ય પ્રધાને શું સલાહ આપી?

અમદાવાદઃ ગુજરાતમાં એકબાજુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે અને સામે 27મી જુને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જેથી આવા સંજોગમાં આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ખાસ સૂચના આપાવમાં આવી છે. કોરોના કેસને ધ્યાને રાખતા આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ઘરે બેસીને રથયાત્રાને દર્શન કરવા માટે સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને જેમને શરદી, ખાસી કે તાવ હોય તેવા લોકોને ઘરે બેસીને રથયાત્રાના દર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે ગુજરાતમાં કોરોનાના 1281 કેસ એક્ટિવ છે. આ આંકડો હજી વધી શકે તેવી આશંકા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે.

ઘરે બેસીને રથયાત્રાને દર્શન કરોઃ આરોગ્ય પ્રધાનની સલાહ

આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ઘરે બેસીને રથયાત્રાના દર્શન કરવા માટે સલાહ આપવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આઈપીએલની મેચ યોજાઈ, રોડ શો થયા અને હમણાં જે જળયાત્રા યોજાઈ તેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં ત્યારે કેમ આરોગ્ય વિભાગ દ્વારા આવી સલાહ આપવામાં આવી? આરોગ્ય વિભાગને હવે કેમ શાણપણ સૂઝ્યું છે? આ પહેલા કેમ આવી સૂચના આપવામાં ના આવી? કોરોના કેસમાં અત્યારે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેવામાં અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો તે સારો જ છે. પરંતુ શું લોકો આ સૂચનાનું પાલન કરશે? વર્ષોથી આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

સરકારી કાર્યક્રમ હોય ત્યારે દરેક નિયમ નેવે મુકાઈ જાય છે?

ગુજરાતમાં અત્યારે ત્રણેય પ્રકારના વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારની સૂચના હોવા છતાં પણ રાજ્યમાં અલગ નિર્ણોયો લેવામાં આવી રહ્યાં છે. ખૂદ નેતાઓ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એક્ઠી કરી હતી તેમને શું સરકારના નિયમો લાગુ નથી પડતા? પ્રશ્ન એ પણ થાય છે જ્યારે સરકારી કાર્યક્રમ હોય ત્યારે દરેક નિયમ નેવે મુકાઈ જાય છે અને ધાર્મિક કાર્યક્રમમાં સલાહ અને સૂચનો લોકો પર થોપી દેવામાં આવે છે. આરોગ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

આઈપીએલ ફાઈનલ વખતે કેમ કોઈ સૂચના નહોતી આપી?

અમદાવાદમાં યોજાયેલી આઈપીએલની ફાઈલન મેચમાં લાખોની સંખ્યામાં લોકો આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ અન્ય મેચોમાં પણ લાખોની સંખ્યામાં ભીડ આવી હતી. તે વખતે કેમ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સૂચના આપવામાં ના આવી? સ્વાભાવિક છે કે, આ આયોજન વ્યાવસાયિક હતા અને આ રથયાત્રામાં કોઈને (ખાનગી વ્યક્તિ કે સરકારને) નફો થવાનો નથી. શું એટલા માટે ઘરે બેસીને રથયાત્રાના દર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે? હવે જોવાનું એ રહે છે કે, 27મી જૂને રથયાત્રામાં કેટલી સંખ્યામાં ભક્તોની ભીડ આવે છે.

આ પણ વાંચો…ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા 11 જૂને અમદાવાઆ પણ વાંચો…દમાં નીકળશે ભવ્ય જળયાત્રા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button