દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને સહાય આપો, આઈએમએ ટાટા સન્સને લખ્યો પત્ર

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે તેમાં અનેક લોકોનું અકાળે મોત થયું છે. પ્લેનમાં બેઠેલા દરેક મુસાફરો, ક્રુ મેમ્બરો અને પાયલોટનું પણ મોત નીપજ્યું છે. ઘટનાસ્થળ પર રહેતા ડૉક્ટરો અને અન્ય લોકોનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ટાટા દ્વારા જે મુસાફરનું આ દુર્ઘટનામાં મોત થયું છે તેમના પરિવારને એક એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારે હવે બીજે મેડિકલના મૃતક અને ઈજાગ્રસ્તોને પણ સહાય કરવા માટે માંગણી કરવામાં આવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન સહાય માટે ટાટા સન્સને લખ્યો પત્ર
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા ટાટા સન્સના ચેરમેનને પત્ર લખીને સહાય કરવા માટે માંગણી કરી છે. પત્ર લખીને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ સહાય કરવા માટે વિનંતી કરવામાં આવી છે. પત્રણાં લખ્યું કે, આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આરોગ્ય સંભાળ માટે આધાર સ્તંભ હતા જેથી તેમના પરિવારને સહાયની જાહેરાત કરવી જોઈએ. ઈન્ડિયન મેડિકલ એસોસીએશને ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખીને આ વિનંતી કરી છે. મહત્વની વાત એ છે કે, જો મુસાફરોને સહાયની જાહેરાત કરાઈ છે તો પછી આ વિદ્યાર્થીઓને પણ સહાય મળવી જોઈએ.
શું ટાટા દ્વારા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે?
ટાટા સન્સ દ્વારા એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જેમના મોત થયા તેમના પરિવારને એક એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જે નિર્ણયની ઈન્ડિયન મેડિકલ એસોસીએશને ખૂબ પ્રશંસા પણ કરી છે. આ સાથે ટાટાએ બીજે મેડિકલના નવીનીકરણ માટે પણ મદદ કરવાની જાહેરાત કરી છે તેના પણ વખાણ કર્યાં અને આભાર માન્યો પરંતુ સાથે સાથે આ વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. કારણ કે, આ દુર્ઘટના પ્લેન ક્રેશ થયું તેના કારણે થઈ છે. વિદ્યાર્થીઓનું મોત થવા પાછળનું કારણ વિમાન ક્રેશ થયું તે છે, તેવો તર્ક પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને ટાટા આપશે એક કરોડનું વળતર