મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરખામણીમાં ગુજરાત ઓછું હરિયાળુ

અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જેનું મુખ્ય કારણે છે ટ્રી કવરમાં થતો સતત ઘટાડો. જ્યારે તાજેતરના એક રીપોર્ટમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 6 વર્ષમાં વૃક્ષ આવરણમાં લગભગ 17% ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ સમાચારે પર્યાવરણવાદીઓ અને સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાવી છે. ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની ઝડપી ગતિ આ ઘટાડા માટે જવાબદાર માનવામાં આવે છે.
સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયના અહેવાલ પ્રમાણે, ગુજરાતનું વૃક્ષ આવરણ 2015-16માં 8034 ચોરસ કિલોમીટર હતું, જે 2021-22માં ઘટીને 6632 ચોરસ કિલોમીટર થયું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રીન કવરનો ઘટાડો એ ઔદ્યોગિક રાજ્યો જેમ કે, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરખામણીએ વધારે નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ જેવા શેહેરે 2011 પછી વધુ હરિયાળઈ ગુમાવી છે.
પર્યાવરણ નિષ્ણાતોના મતે, ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓએ વૃક્ષોની ઘટતી સંખ્યામાં મોટો ફાળો આપ્યો છે. પર્યાવરણ તજજ્ઞનું માનવું છે કે, જંગલની જમીન ઔદ્યોગિક ઉપયોગ માટે ફેરવાઈ રહી છે, જેનાથી હરિયાળી નાશ પામી રહી છે. આ ઉપરાંત, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ જંગલોની ઘનતા પણ ઘટી છે, જે ચક્રવાત જેવી કુદરતી આફતો સામે રક્ષણ આપવામાં નબળા પડી રહ્યા છે.
આપણ વાંચો: અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે રીઢા ગુનેગારને 4 થી 5 જણાએ માર્યો ઢોર માર, જુઓ વીડિયો
વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ૨૦૨૧ પછી વૃક્ષ આવરણમાં થોડો સુધારો થયો છે, પરંતુ લાંબા ગાળાની યોજના અને સમુદાયની ભાગીદારી વિના આ સમસ્યાનો ઉકેલ શક્ય નથી. પર્યાવરણ નિષ્ણાતો સૂચવે છે કે વિકેન્દ્રિત વૃક્ષારોપણ અને ટકાઉ વિકાસ યોજનાઓ અપનાવવાથી આ નુકસાનને ઘટાડી શકાય. ગુજરાતે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.