‘મુંબઈ લોકલમાં પણ લોકો મરે છે…’: જેટ એરવેઝના ભૂતપૂર્વ CEOએ એર ઇન્ડિયા-બોઇંગનો બચાવ કર્યો…

અમદાવાદ: તાજેતરની વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઉભા (Ahmedabad Plane Crash) થયા છે, આ સાથે બોઇંગના 787-8ની બનાવટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 વિમાનની 66 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી છે, જેને કારણે અનેક તર્ક વિતર્કો લાગવવામાં આવી રહ્યા છે. એવામાં એવિએશન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને જેટ એરવેઝના ભૂતપૂર્વ CEO સંજીવ કપૂરે એર ઇન્ડિયા અને બોઇંગનો બચાવ કર્યો (Sanjiv Kapoor defend Air India) છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મહિલાએ એર ઇન્ડિયા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. આ મહિલાની પોસ્ટનો જવાબ આપતા સંજીવ કપૂરે લોકોને આ ઘટનાને યોગ્ય સંદર્ભમાં જોવા વિનંતી કરી.
મુંબઈ લોકલમાં પણ લોકો મારે છે:
સંજીવ કપૂરે X પર લખ્યું, “ભારતમાં દર વર્ષે માર્ગ અને રેલ અકસ્માતોમાં લાખો લોકો માર્યા જાય છે – ફક્ત મુંબઈના લોકલ ટ્રેનમાં દર વર્ષે 2,000 થી વધુ લોકોના મોત થાય છે અને લોકો એની સામે નથી જોતા. દાયકાઓથી એર ઇન્ડિયાનો સેફટી રેકોર્ડ હાઈ રહ્યો છે. એક દુર્ઘટનાને કારણે લોકો દ્રષ્ટિકોણ બદલી દે છે.”
બોઇંગનો બચાવ કર્યો:
સંજીવ કપૂરે બોઇંગ 787 સામે ઉઠેલા પ્રશ્નો પણ જવાબ આપ્યો તેમણે કહ્યું કે ફ્લાઇટ AI-171 ક્રેશ થયા પહેલા બોઇંગ 787એ વૈશ્વિક સ્તરે 50 લાખથી વધુ ફ્લાઇટ્સ સલામત રીતે પૂરી કરી છે, જેમાં એક પણ જાનહાનિ થઈ ન હતી.
તેમણે કહ્યું, ” તેના લોન્ચ બાદથી AI-171 ક્રેશ સુધી બોઇંગ 787એ કોઈ જાનહાનિ વિના 50 લાખથી વધુ ફ્લાઇટ્સ પૂરી કરી ચૂક્યું હતું? બધા પ્રકારના વિમાનોમાં દિવસમાં ઘણી વખત એર ટર્નબેક અને નાની ટેકનીકલ ખામીઓ થાય છે. એર ટ્રાવેલએ પરિવહનનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.”
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 ની 66 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓ અંગે ચિંતાઓ ઉભી થઈ હતી, પરંતુ એરલાઇને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બધી ફ્લાઇટ્સ સલામતી કારણોસર રદ થઈ નહોતી. કેટલીક ફ્લાઇટ્સ સ્ટાફની અછત અને આંતરિક સંચાલનની સમસ્યાને કારણે રદ કરવામાં આવી હતી.