ભાઈબીજના દિવસે પ્રહલાદનગરમાં આગ ફાટી નીકળી, પાંચ દુકાનો બળીને ખાખ...
Top Newsઅમદાવાદ

ભાઈબીજના દિવસે પ્રહલાદનગરમાં આગ ફાટી નીકળી, પાંચ દુકાનો બળીને ખાખ…

નવા વર્ષના બીજા દિવસે, ભાઈબીજના પવિત્ર પર્વ પર અમદાવાદમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદનગર વિસ્તાર નજીક રેડિયો મિર્ચી રોડ પર આવેલી પાંચ દુકાનોમાં લાગી હતી. દુર્ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગનું કારણ હજુ અકબંધ છે.

આગની ઘટનાના પગલે તાત્કાલિકના ધોરણે ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળ પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો. વહેલી સવારે લાગેલી આ આગથી દુકાનદારોને ભારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે. તપાસ અધિકારીઓ આગના કારણોની શોધમાં લાગ્યા છે, જેમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટની શક્યતા વધુ છે.

ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે ફટાકડાની આતશબાજીથી ગુજરાતમાં 56 લોકો દાઝ્યા હતા. અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 108 ઇમર્જન્સીને 918 કોલ મળ્યા હતા. દિવાળી દરમિયાન ફટાકડામાંથી આગ લાગવાના અને દાઝવાના અનેક કેસો સામે આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દિવાળી દરમિયાન દાઝવાના કોઈ મોટા કેસ નોંધાયા ન હતા. 20 ઓક્ટોબર સુધીની વિગતો અનુસાર, આગના બનાવો છતાં હોસ્પિટલોમાં નોંધપાત્ર વધારો નહોતો. આ વખતે પણ સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button