હવે તો જગન્નનાથજી જ બહાર કાઢે મંદીમાંથીઃ ડેવલપર્સ આપી રહ્યા છે ખરીદદારોને આવી ઓફર્સ

અમદાવાદ: ગુજરાતમાં ભરમાં મંદીનો માહોલ અને મકાન મિલકત પર વધાલી જંત્રીના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પર માઠી અસર પડી રહી છે. આ વેપાર સાથે સંકળાયેલા લોકોને મંદી સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. જેમાં અષાઢી બીજના નગરચર્ચા પર નીકળતા જગન્નાથજી રૂડો અવસર આવી રહ્યો છે. આ અવરસને મંદીના માહોલ માંથી નીકળવાની તક તરીકે રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોઈ રહ્યા છે. રથયાત્રાના તહેવાર દરમિયાન મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ લઈને આવ્યા છે, જેથી નબળી વેચાણની સ્થિતિને સુધારી શકાય. આ ઓફર્સ ખાસ કરીને સસ્તા આવાસોના સેગમેન્ટમાં જોવા મળી રહી છે, જેનો ઉદ્દેશ તહેવારના ઉત્સાહનો લાભ લઈને ગ્રાહકોને આકર્ષવાનો છે.
અમદાવાદના પૂર્વી વિસ્તારો જેવા કે નિકોલ, ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, હાથીજણ, રખિયાલ અને વસ્ત્રાલમાં 1-BHKથી 3-BHKના સસ્તા મકાનો, જેની કિંમત 22 લાખથી 60 લાખ રૂપિયા છે, તેના પર 50,000થી 11 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આવનારી મંદીના ડર ડેવલપર્સ પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવા પર પોતાનું ફોકસ વધાર્યું છે. આ ઉપરાંત, લક્ઝરી પ્રોજેક્ટ્સમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.
બિલ્ડર્સ એસોસિએશનના સૂત્રોએ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ તહેવારના સમયનો લાભ લઈ મંદીના માર્કેટમાંથી બહાક આવવાનો છે. જ્યારે કેટલાક ડેવલોપર્સના મત અનુસાર પ્રોજેક્ટ લોનનું વ્યાજ 10-22% હોય છે, જેનું નુકસાન સહન કરવાની જગ્યા પર ગ્રાહકને 5-15% ડિસ્કારઉન્ટ આપવું ડેવલપર્સને સસ્તુ લાગે છે.
નિષ્ણાતોના મત અનુસાર “ડેવલપર્સ માટે ઊંચા વ્યાજનો બોજ સહન કરવા કરતાં ડિસ્કાઉન્ટ આપીને ઇન્વેન્ટરી ખાલી કરવી વધુ ફાયદાકારક છે.” જ્યારે બીજી બાજું ઘણા ડેવલપર્સ એસોસિએશન જોડાયેલા લોકો એવુ માને છે કે, આ ઓફર્સ તહેવારો દરમિયાન માર્કેટિંગ વ્યૂહરચનાનો ભાગ પણ હોઈ શકે છે. આ લુભામણી ઓફર્સનું મંદી સાથે કોઈ તાલમેલ નથી. આવું કરવાથી માત્ર ખરીદદારો માટે તકો ઊભી થશે, પરંતુ માર્કેટની સ્થિતિ દિવાળી સુધી સુધરે તેવી આશા ઓછી દેખાઈ રહી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં 148મી રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી, 31 જગ્યા ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર