DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોને ક્લીનચીટ આપી; સાથે મેન્ટેનન્સ માટે સલાહ આપી

અમદાવાદ: 12 જુન 2025નો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે નોંધાઈ ગયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 ફ્લાઈટ બી જે મેડિકલ કોલેજ પર ક્રેશ થતાં 270 લોકોના મોત થયા છે. ક્રેશ થયેલું એરક્રાફ્ટ બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું. આ ઘટના બાદ એર ઇન્ડિયા પાસે રહેલા બોઇંગ 787ની સલામતી અંગે સવાલો ઉઠ્યા હતાં. જો કે આ આ મામલે ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને બોઇંગ 787ને કલીનચીટ આપી છે.
DGCAએ એક નિવેદનમાં જણાવ્યું કે એર ઇન્ડિયા પાસે રહેલા બોઇંગ 787 વિમાનોનું સર્વેલન્સ કર્યા બાદ સલામતીની કોઈ મોટી ખામી જાણવા મળી નથી. DGCAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાન અને તેની સાથે સંકળાયેલી મેન્ટેનન્સ સિસ્ટમમાં સલામતી ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે DGCAએ એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં, એરલાઇન સાથે જોડાયેલા કેટલાક મેન્ટેનન્સ મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી.
DGCAએ કહ્યું કે આપવામાં આવેલા આદેશ મુજબ એર ઇન્ડિયાના 33 બોઇંગ 787 વિમાનોમાંથી 24માં એન્હાન્સ સેફટી ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. DGCA ની સમીક્ષામાં એરલાઈનના તાજેતરના ઓપરેશનલ ડેટાનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું.
કોર્ડીનેશન મજબૂત બનાવવા સુચન:
DGCAએ જણાવ્યું હતું કે 12 જૂનથી 17 જૂન દરમિયાન એર ઇન્ડિયાએ બોઇંગ 787ની 66 ફ્લાઇટ્સ રદ કરી છે.
આ પણ વાંચો - અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
DGCAએ એર ઇન્ડિયાને તેના એન્જિનિયરિંગ, ઓપરેશન્સ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટ્સમાં ઇન્ટરનલ કોર્ડીનેશન મજબૂત બનાવવા અને પૂરતા પ્રમાણમાં સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધ રાખવા સુચન કર્યું છે, જેથી મુસાફરોને ડીલેનો સમાનો ન કરવો પડે.