
અમદાવાદઃ રાજ્યમાં કોરનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 16 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કિશોરીને બચાવવા ડોક્ટરો દ્વારા રેમડેસીવર અને ટોસીલીઝુમેબ આપવામાં આવી હતી છતાં તેનો જીવ બચ્યો નહોતો. કિશોરીને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો.
શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ હતો. જ્યારે અત્યાર સુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે.
આપણ વાંચો: કોરોનાના નવા વેરિયન્ટનો હાઉ: તમામ તૈયારી સાથે સજ્જ હોવાનો પાલિકાનો દાવો
અમદાવાદમાં આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદમાં આજે વધુ 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે સરેરાશ 5 કેસ નોંધાયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં 916 જેટલા કેસ નોંધાયા છે, જે પૈકી 646 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 268 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 10 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1000ને પાર પહોંચી ગયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા? 822 પર પહોંચી એક્ટિવ કેસની સંખ્યા…
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોવિડ-19 ડેશબોર્ડ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6491 પર પહોંચી છે. કેરળ 1957 એક્ટિવ કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે 980 કેસ સાથે ગુજરાત બીજા ક્રમે છે.