અમદાવાદઆમચી મુંબઈ

આ બે દિવસ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન ઊભી નહીં રહે

અમદાવાદઃ બોરીવલીથી અમદાવાદ આવવાનો તમારો આ મહિનામાં પ્લાન હોય અને તમે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસમાં આવવાનો વિચાર કરતા હો, તો આ ન્યૂઝ તમારી માટે છે.

અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર કાંદિવલી-બોરીવલી સેક્શન પર છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.

આ બે દિવસના રૂટમાં ફેરફાર

  • ૧. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અમદાવાદથી ઉપડતી ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસને વસઈ રોડ પર ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે. તેથી, આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  • ૨. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી બોરીવલીથી ઉપડતી ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસને વસઈ રોડથી ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે. તેથી, આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button