અમદાવાદ

BSF IGનો ધડાકો: પાકિસ્તાને ગુજરાત સરહદે ટેન્કો તૈનાત કરી હતી, 600થી વધુ ડ્રોન મોકલ્યા!

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ગુજરાત સહિત દેશના બોર્ડર વિસ્તારોને ડ્રોનથી નિશાન બનાવવાની કોશિશ કરી હતી.

સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. આ દરમિયાન બીએસએફના આઈજી અભિષેક પાઠકે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ટેન્કો ગોઠવી હતી, 600થી વધુ ડ્રોન મોકલ્યા હતા, સેનાએ તમામ તોડી પાડ્યા હતા.

આપણ વાંચો: બિહારમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીની ગર્જના, કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડત ચાલુ જ રહેશે

અભિષેક પાઠકે જણાવ્યું કે, પહલગામ હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. જેનાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું હતું અને કઈંક મોટું કરવાનો ઈરાદો હતો.

ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાના એકત્રીકરણની માહિતી મળતાની સાથે જ અને એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા છે, ગુજરાત ફ્રન્ટીયરએ દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તૈનાત કર્યા હતા..

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી

તેમણે જણાવ્યું કે, ગુજરાતની ભારત-પાકિસ્તાન સરહદ પણ એક અનોખી ભૌગોલિક પરિસ્થિતિ રજૂ કરે છે. અહીં કાં તો રણ છે કે કાં તો ક્રીક, બંને વિસ્તારો એવા છે જ્યાં કળણવાળી જમીન, ખારાશ અને આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. અવરજવરના માર્ગો ખૂબ જ મર્યાદિત છે, સૈનિકોને કળણવાળી જમીન પર પગપાળા પેટ્રોલિંગ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી પડે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સર ક્રીક સુધીની ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત ફ્રન્ટિયરનો જવાબદારીનો વિસ્તાર ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button