
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ગઈ કાલે ગંભીરા બ્રિજ તૂટી ગયો તેના કારણે 10 લોકોનું એકાળે જીવ ગયો હતો. આ સાથે સાથે રોડ અકસ્માતો પણ એટલા જ વધી રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદમાં રખિયાલના બળિયાકાકા ચાર રસ્તા પાસે BRTS બસ બેકાબૂ બનતા ભયાનક અકસ્માત સર્જ્યો હતો. મળતી વિગતો પ્રમાણે ડ્રાઈવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો તેના કારણે બસે એક રિક્ષાને ટક્કર મારી અને પછી બસ સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી.
સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી ડિવાઇડર પર ચડી ગઈ
BRTS બસે સામે આવી રહેલી રિક્ષાને ભારે અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બસને ભયંકર અકસ્માત થતા ઘટનાસ્થળે ભીડ ભેગી થઇ હતી. આ સાથે સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં બીઆરટીએસ બસનો કહેર સતત વધી રહ્યો છે. મહિલાનાં એકથી બે અકસ્માતની ઘટના બનતી જ હોય છે.
BRTS બસે સર્જેલા અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પણ ગત મોડી રાત્રે BRTS બસનો અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, અત્યારે પાંચેય વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આખરે કેવી રીતે આ અકસ્માત સર્જાયો? શું BRTS બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો? કારણે કે, આ પહેલા અનેક વખત BRTS અને એમટીએસ બસના ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયાં છે. આ મામલે શું હકીકત હતી તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
આ પણ વાંચો…કાળજુ કંપાવનારો અકસ્માતઃ તમિલનાડુમાં ટ્રેન સાથે સ્કૂલ બસ ટકરાઈ, બે વિદ્યાર્થીનાં મોત…