આસારામની જામીન અરજીની મુદત વધારવા મુદ્દે હાઈ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ…

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી કામચલાઉ જામીનની મુદત વધારવા માટે દાખલ કરાયેલી અરજી પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 86 વર્ષીય આસારામ જે પોતાને ધર્મગુરુ માને છે તેને 2013 ના દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામ હાલમાં તબીબી કારણોસર જામીન પર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, જમાનતની મુદત વધારે માટે આસારામે કોર્ટમાં અરજી કરી છે. હવે તેની જામીનની મુદત વધારી કે કેમ તે એક પ્રશ્ન છે.
28 માર્ચે આસારામને 3 મહિનાના વચગાળાના જામીન આપેલા
ગુજરાત હાઈ કોર્ટે નોટિસ જારી કરીને 27 જૂન સુધીમાં સરકરા પાસે જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યા હતા. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો અને ત્યારબાદ ત્રીજા ન્યાયાધીશને કેસ રિફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આસારામને ત્રણ મહિનાના વચગાળાના જામીન આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
આસારામે ફરી જામીનની મુદત વધારવા માટે અરજી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની એક અદાલતે જાન્યુઆરી 2023માં દુષ્કર્મ મામલે આસારામને દોષી માની સજા સંભળાવી હતી. એટલું જ નહીં પરંતુ આસારામ એક બીજા કેસમાં પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે જેમાં તેને 2013 માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં એક છોકરી પર દુષ્કર્મ કરવાના દોષી ઠેરવવામાં આવ્યા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલના કેસમાં આસારામે 2001 થી 2006 ની વચ્ચે સુરતની એક મહિલા અનુયાયી પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર બાબત અમદાવાદ નજીક મોટેરા ખાતેના તેમના આશ્રમમાં રહેતી હતી ત્યારે બની હતી. આસારામ અત્યારે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પરંતુ સ્વાસ્થ્યના કારણે જામીન પર બહાર છે.
આપણ વાંચો : આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ