પ્લેનના પાછળના ભાગેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, શું હજી મૃત્યુનો આંકડો વધશે?

અમદાવાદઃ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે દુર્ઘટનાને અત્યારે કલાકો થઈ ગયાં છે. હજી પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે. જેથી એજન્સીઓ દ્વારા ઘટના સ્થળ પર સતત કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ફરી એક વિમાનના પાછળના ભાગેથી એક મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કાટમાળ નીચે ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવશે
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્લેના પાછળનાં ભાગેથી આ મૃતદેહનો નીચે ઉતારીને પોસ્ટમોર્ટમમી કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પ્રાથમિક જાણકારી પ્રમાણે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે, જો કે, પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ બાદ જ જાણ થશે કે આ મૃતદેહ કોનો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે બાકીના 250 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી મૃતદેહની ઓળખ થાય અને તેને પરિવારને સોંપી શકાય.
સિવિલમાં 80થી 90 ડૉક્ટરોએ 275 પોસ્ટમોર્ટમ કર્યા
મહત્વની વાત એ છે કે, અમદાવાદ સિવિલ ખાતે ડૉક્ટરોએ સતત કામગીરી કરીને 275 પોસ્ટમોર્ટમ કર્યા છે. અને હજી પણ મૃતદેહો મળી રહ્યાં છે. આજે ફરી એક મૃતદેહ પ્લેનના પાછળના ભાગેથી મળી આવ્યો છે. જેથી મૃત્યુનો આંકડો હજી પણ વધી શકે તેવી આશંકા છે. પ્લેન ક્રેશની ઘટના એટલી ભયાનક હતી કે, કોઈનું બચવું શક્ય નહોતું. પ્લેનમાં 1.25 લાખ લીટર ઈંધણ હતું. જેથી ક્રેશ થતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર દુર્ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ પણ થયો છે. જેની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.