પ્લેન ક્રેશના અંતિમ મૃતકનું DNA મેચ! 260 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ, 4 હજી સારવાર હેઠળ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનમાં અત્યારે મોટા અને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. પ્લેન ક્રેશમાં જેટલા લોકોનું મોત થયું હતું તે તમામ લોકોના મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે અને તમામ મૃતદેહોને પરિવારોને સોંપવામાં પણ આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં કુલ 260 લોકોના મૃત્યુ થયું એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. કારણ કે, અંતિમ DNA મેચ થતા કુલ 260 લોકોના મૃત્યુની પુષ્ટિ છે. આ એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર 241 અને 19 નીચે રહેલા લોકોના મૃત્યુ થયા હોવાના પુષ્ટિ કરવામાં આવી છે.
છેલ્લા મૃતકનું ડીએનએ મેચ થતા 260 લોકોના મોતની પુષ્ટિ
આ દુર્ઘટનામાં કેટલા લોકોનું મોત થયું ? તેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. પરંતુ છેલ્લા મૃતકનું ડીએનએ મેચ થતા 260 લોકોનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દુર્ઘટનામાં આખા મૃતદેહો તો મળ્યાં જ નથી! કારણે કે, પ્લેન ક્રેશ થતાની સાથે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થયા હતાં. ઘટના સ્થળ પર હાજર લોકોનું પણ મોત થયું હતું. તમામ લોકોના મૃતદેહોનો પરિવારજનોને સોંપવામાં આવ્યાં હોવાનું સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.
પ્લેન ક્રેશના 4 જેટલા દર્દી હજી પણ સિવિલમાં સારવાર હેઠળ
વધુમાં સિવિલાન સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, ‘હવે કોઈ મૃતદેહ સોંપવાનો બાકી નથી. આ સાથે સારવાર માટે એક દર્દી દાખલ હતો તે પણ સ્વસ્થ થઈ જતા શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે હજી 4 જેટલા દર્દી સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે. 4 દર્દીઓ સ્વસ્થ થશે ત્યારે તેમને રજા આપવામાં આવશે. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરો સિવાય પણ કેટલાક લોકોના મોત થયાં છે’. આ દુર્ધટના એટલી ભયાનક હતી કે, ત્યાના સ્થાનિકોમાં અત્યારે પણ ડરનો માહોલ છવાયેલો છે.