અમદાવાદ

વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલશે? અધિકારીએ જણાવ્યું તેનું કારણ

અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એઆઈ 171માં બેસેલા 241 મુસાફરો અને હોસ્ટેલમાં હાજર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તેથી આ દુર્ઘટના કોઈ ભૂલી શકે એમ નથી. ત્યારે હવે એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલવા જઈ રહી છે.

એઆઈ 171નો વિમાન બદલવાનો નિર્ણય

મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ “અમદાવાદથી ગૈટવિક(લંડન) ખાતે જનારા વિમાનનો નંબર બદલીને એઆઈ 159 કરવામાં આવશે. જ્યારે લંડનથી અમદાવાદ પાછા ફરનાર વિમાનનો નંબર બદલીને એઆઈ 160 કરવામાં આવશે. આ ફેરફાર બહું જલ્દી જોવા મળશે.” જોકે એર ઈન્ડિયાએ પોતાના આ નિર્ણય અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

દુર્ઘટના બાદ શા માટે બદલવામાં આવે છે વિમાનનો નંબર

એરલાઈનના એક પૂર્વ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, “કોઈ દુર્ઘટનાની યાદોને ભૂલાવવા માટે દુર્ઘટના બાદ વિમાનનો નંબર બદલવામાં આવે છે. જે સામાન્ય વાત છે. તે યાત્રીઓ તથા તેમના મનને દુર્ઘટનાના દુ:ખમાંથી બીજી જગ્યાએ વાળવાનો એક રસ્તો હોઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ વિમાન દુર્ઘટનાઓ બાદ આવી કાર્યવાહી કરવામાં આવી છે. 2014માં મલેશિયાની એરલાઈન્સના વિમાન એમએચ 370 ખોવાઈ ગયું હતું. જેને એરલાઈન દ્વારા કુઆલાલંપુર-બીજિંહ રૂટ એમએસ 318 સાથે બદલવામાં આવ્યું હતું. 2018માં પણ જાવાના દરિયામાં થયેલી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 318 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના બાદ લાયન એરલાઈનને પોતાના વિમાનનો નંબર જેટી 610થી બદલીને જેટી 618 કરી દીધો હતો.

આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાના પૂર્વેનો પાયલોટનો આખરી સંદેશ પ્રકાશમાં આવ્યો, કહ્યું થ્રસ્ટ નથી મળી રહ્યો ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button