વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલશે? અધિકારીએ જણાવ્યું તેનું કારણ

અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એઆઈ 171માં બેસેલા 241 મુસાફરો અને હોસ્ટેલમાં હાજર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તેથી આ દુર્ઘટના કોઈ ભૂલી શકે એમ નથી. ત્યારે હવે એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલવા જઈ રહી છે.
એઆઈ 171નો વિમાન બદલવાનો નિર્ણય
મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ “અમદાવાદથી ગૈટવિક(લંડન) ખાતે જનારા વિમાનનો નંબર બદલીને એઆઈ 159 કરવામાં આવશે. જ્યારે લંડનથી અમદાવાદ પાછા ફરનાર વિમાનનો નંબર બદલીને એઆઈ 160 કરવામાં આવશે. આ ફેરફાર બહું જલ્દી જોવા મળશે.” જોકે એર ઈન્ડિયાએ પોતાના આ નિર્ણય અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
દુર્ઘટના બાદ શા માટે બદલવામાં આવે છે વિમાનનો નંબર
એરલાઈનના એક પૂર્વ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, “કોઈ દુર્ઘટનાની યાદોને ભૂલાવવા માટે દુર્ઘટના બાદ વિમાનનો નંબર બદલવામાં આવે છે. જે સામાન્ય વાત છે. તે યાત્રીઓ તથા તેમના મનને દુર્ઘટનાના દુ:ખમાંથી બીજી જગ્યાએ વાળવાનો એક રસ્તો હોઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ વિમાન દુર્ઘટનાઓ બાદ આવી કાર્યવાહી કરવામાં આવી છે. 2014માં મલેશિયાની એરલાઈન્સના વિમાન એમએચ 370 ખોવાઈ ગયું હતું. જેને એરલાઈન દ્વારા કુઆલાલંપુર-બીજિંહ રૂટ એમએસ 318 સાથે બદલવામાં આવ્યું હતું. 2018માં પણ જાવાના દરિયામાં થયેલી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 318 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના બાદ લાયન એરલાઈનને પોતાના વિમાનનો નંબર જેટી 610થી બદલીને જેટી 618 કરી દીધો હતો.