અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. આ પૂર્વે 11 જૂને જળયાત્રા યોજાશે. આ જળયાત્રા સવારે 8 વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જે માટેની તૈયારીઓ મંદિર પરિસરમાં પૂરજોશમાં ચાલી રહી છે.
ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે
જેમાં સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. જ્યારે ભગવાનનો ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરવામાં આવશે. જયારે તેની બાદ ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.

સરસપુરના રણછોડરાય મંદિર ખાતે પણ તૈયારીઓ
રથયાત્રા પહેલાનો મહત્વની જળયાત્રા યોજાઈ છે તે દિવસે ભગવાન જગન્નાથને જમાલપુર નિજ મંદિરથી સરસપુરના રણછોડરાય મંદિરમાં રહે છે. આ દરમિયાન 11 જૂનથી 15 દિવસ સુધી સરસપુરના રણછોડરાય મંદિર ખાતે વિવિધ ભજન મંડળીઓ દ્વારા કાર્યક્રમ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ભાગ લેતા હોય છે.
ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ
આ ઉપરાંત મંદિરમાં આ રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાતી રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. તેમજ ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે.
આ પણ વાંચો:એએમસી દ્વારા રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે