
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ છ. 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર સવાર હોવાની જાણવા મળ્યું છે. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad plane crash: ગૃહ પ્રધાન અમિત શાહે CM પટેલ સાથે…
ટેક ઓફની 2 જ મિનિટમાં જ પ્લેન ક્રેશ થયુંઃ સૂત્રો
સૂત્રો દ્વારા 100ના મોતની સંભાવના હોવાનું જાણવા મળ્યું છે. આ પ્લેનમાં વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ પરિવાર અત્યારે ચિંતામાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટેક ઓફની 2 જ મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું હતું. આ સમગ્ર ઘટના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના બની છે. અત્યારે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.