અમદાવાદ પ્લેન ક્રેશ: કાવતરું કે અકસ્માત? તમામ પાસાની સઘન તપાસ

અમદાવાદ: બારમી જૂનના અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171 ઉડાન ભરતાના થોડા જ સમયમાં મેઘાણીનગરમાં તૂટી પડી હતી. આ ભયાનક અકસ્માતનું કારણ જણાવ માટે એજન્સી તપાસ કરી રહી છે, જ્યારે દિલ્હીમાં ફ્લાઈટના બ્લેક બોક્સની તપાસમાં કરવામાં આવી રહી છે.
આ ફ્લાઈટ દુર્ઘટનામાં દુર્ઘટના થવા પાછળ તમામ સંભવિત પાસાથી તપાસ કરવામાં આવી છે, જેમાં ષડયંત્ર કે અકસ્માતનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: પ્લેન ક્રેશ પછી એર ઇન્ડિયાએ ફ્લાઇટનો ‘એ’ નંબર બદલ્યો
વિવિધ એન્ગલથી તપાસ
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) બ્લેક બોક્સની તપાસ ભારતમાં જ કરી રહી છે. તપાસ એજન્સીઓ અકસ્માતના તમામ સંભવિત કારણો જેમ કે એન્જિનની નિષ્ફળતા, તકનીકી ખામી કે પછી જાણીજોઈને ગડબડની શક્યતા જેવા વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.
એરપોર્ટના સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે, જેથી ટેકઓફ પહેલાં કોઈ તોડફોડ થઈ હોય તેની ખાતરી કરી શકાય.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મેસમાં વિદ્યાર્થીઓ થયા એકત્ર, કર્યા પૂજાપાઠ…
ફોરેન્સિક અને અન્ય તપાસ
દુર્ઘટનાસ્થળેથી 100થી વધુ બળેલા મોબાઇલ ફોન મળી આવ્યા છે, જેના ડેટા (ફોટા અને વીડિયો)ની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફની ગણતરીની સેકન્ડોમાં જ મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 મુસાફરો અને જમીન પર 33 લોકોનાં મોત નીપજ્યાં હતા.