Ahmedabad માં પ્રેમીએ પ્રેમિકાના પતિની કરપીણ હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદ થી(Ahmedabad) અનૈતિક પ્રેમ સંબંધનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીએ તેની પરણિત પ્રેમિકાના પતિને ખોટી રીતે ફોન કરીને તેની હત્યા કરી હતી. પ્રેમિકાનો પતિ તેમના પ્રેમમાં અવરોધ બની રહ્યો હતો. આ હત્યા બાદ આરોપીએ લાશને રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હતી. પરંતુ પોલીસે તેમની તપાસમાં આરોપીઓના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
મામલો આત્મહત્યાનો લાગતો હતો
આ કેસનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મામલો આત્મહત્યાનો લાગતો હતો. જેમાં મૃતકની ઓળખ દિનેશ પરમાર તરીકે થઈ છે.
આપણ વાંચો: અંજાર પાયલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ પ્રેમ પ્રકરણ સહીત આ કારણ પણ બન્યું જીવલેણ
પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે દિનેશની પત્ની વર્ષાના આરોપી અમિત સાથે અનૈતિક સંબંધો હતા. પતિ દિનેશને આ વાતની ખબર પડી હતી. જેના કારણે આરોપી અમિતે દિનેશને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. આ કેસમાં એક સગીરની સંડોવણીની માહિતી પણ પ્રકાશમાં આવી છે.
દિનેશને છરીના ઘા મારીને હત્યા કરી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે અમિત એક સગીરની મદદથી દિનેશને સરખેજ રેલ્વે ટ્રેક પર જમવા માટે લઈ ગયો હતો. ત્યાર બાદ આરોપીઓએ મૃતકને ટ્રેન નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. તેની બાદ આરોપીઓએ દિનેશને છરીના ઘા મારીને હત્યા કરી અને પછી લાશને રેલ્વે ટ્રેક પર છોડી દીધી. પરંતુ સાબરમતી રેલ્વે પોલીસે આખો મામલો ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.