
આજે ભારતભરના હિંદુઓ માટે ખુશીનો પર્વ છે. ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો સવારે 4 લાગ્યાથી દર્શન કરવામાં આવી પહોંચ્યાં હતા.

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો કાર્યક્રમ કેવી રહેશે?
સવારે 4 વાગ્યે: અમિત શાહ પરિવાર ભગવાનની મંગળા આરતીમાં હાજર રહ્યો
સવારે 4:30 વાગ્યે વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો
ભગવાનના પ્રિય આદિવાસી નૃત્ય સાથે સવારે 5:00 વાગ્યે રથમાં ભગવાનનો પ્રવેશ થયો
મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને સવારે 7:00 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
સવારે 7:30 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરવામાં આવી
બપોરે 12:30 વાગ્યે ભગવાન તેમના મોસાળ પહોંચશે અને રાત્રે 8:30 વાગ્યે નિજ મંદિર પરત પહોંચશે
એક એવી માન્યતા પણ છે કે, રાત્રે 8:30 વાગ્યે ભગવાન મંદિર બહાર જ રથમાં રહેશે કારણ કે, ભગવાન પોતાની પત્ની રુક્મિણીજીને લીધા વિના નગરચર્યા પર નીકળે છે, જેથી રુક્મિણીજી નારાજ થઈ જાય છે, જેના કારણે ભગવાનને મંદિર બહાર રોકાવું પડે છે. બીજા દિવસે સવારે ભગવાનને ઢોલ-નગારાં સાથે મંદિરમાં પાછા સ્થાપિત કરવામાં આવશે

રથયાત્રાનો રૂટની સમગ્ર માહિતી, કેટલા વાગ્યે કયા સ્થળે હશે રથયાત્રા?
સવારે 7:30 વાગ્યેઃ જમાલપુર મંદિર
સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
સવારે 9:45 વાગ્યે: રાયપુર ચકલા
સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા
સવારે 11:15 વાગ્યેઃ કાલુપુર સર્કલ
સવારે 12:00 વાગ્યે: સરસપુર મામાના ઘર જશે
બપોરે 1:30 વાગ્યેઃ સરસપુરથી પરત પ્રસ્થાન
બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ
બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા
બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા
બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા
સાંજે 4:30 વાગ્યે: શાહપુર હાઈસ્કુલ
સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા
સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા
સાંજે 6:30 વાગ્યે: માણેકચોકથી
રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત ફરશે
જગન્નાથજીની રથયાત્રાની મેઘરાજાએ પણ અમી છાંટણીથી વધામણી કરી છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પહેલો રથ સવારે 7.10 વાગ્યે જ બહાર નીકળતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો છે. રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યઓ, સંતો- મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.