પશ્ચિમ રેલ્વેના ટિકિટ નિરીક્ષકે સરાહનીય કાર્ય કર્યું! ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને પરત આપી

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે. આ જ ક્રમમાં અમદાવાદ મંડળમાં કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક શકીલ અહમદ, ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર દ્વારા ટ્રેનમાં ભૂલથી મૂકાયેલ કિંમતી બેગ પરત આપી છે. આ બેગમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી. જેની અંદાજિત કિંમત લગભગ 2 લાખ રૂપિયા જેટલી હતી. આ ટિકિટ નિરીક્ષક મુસાફરને શોધીને સલામત રીતે બેગ પરત આપી હતી.
સંદીપ પંડ્યા પોતાની બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા
વિગતે વાત કરવામાં આવે તો, ગાડી સંખ્યા 09208 માં, કોચ નંબર A/1, બર્થ નંબર 30 પર મુસાફરી કરતા મુસાફર સંદીપ પંડ્યા, જે અમદાવાદથી બોરીવલી જઈ રહ્યા હતા. આ દરમિયાન સંદીપ પંડ્યા પોતાની બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા. આ બેગ ફરજ પર કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક (Dy CTI) શકીલ અહમદને તપાસ દરમિયાન મળી આવી હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને બેગ સુરક્ષિત રીતે મુસાફરને પરત આપી દીધી હતી. જેથી અત્યારે તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે.
મુસાફરો પ્રત્યેની જવાબદારીની ભાવનાની પ્રશંસા કરું છુંઃ સંદીપ પંડ્યા
આ સરાહનીય કાર્ય બદલ મુસાફરે જણાવ્યું કે, હું શકીલ અહમદ, Dy CTIનો દિલથી આભાર માનું છે. તેમણે મારી હાલની ટ્રેન મુસાફરી દરમિયાન મારું લેપટોપ બેગ પરત આપવામાં જે મદદ કરી, તે ખરેખર સરાહનીય છે. તેમના ઝડપી પ્રયત્નો માત્ર મારો કિંમતી સમય જ બચાવ્યો નથી, પરંતુ મને એક મોટી અસુવિધા અને ખર્ચથી પણ બચાવ્યો છે. હું તેમના મુસાફરો પ્રત્યેની જવાબદારીની ભાવના અને સમર્પણની સાચી પ્રશંસા કરું છું. તેમની સહાયતાથી ખરેખર મને ખૂબ મોટી મદદ કરી છે અને હું તેમના આ સહયોગ માટે હૃદયપૂર્વક આભારી છું’.