અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા

અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રકાશમાં આપ્યું છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ પ્રશ્ન છે કે, આવા લોકોમાં ખુલ્લેઆમ હત્યા જેવો ગુનો કરવાની હિંમત આવી ક્યાંથી? પોલીસ અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સાર્થક નથી?
તિક્ષ્ણ હથિયારો વડે નીતિન પટણી નામના યુવકની કરપીણ હત્યા
અમદાવાદના મેઘાણીનગરમાં જે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે તેની ઓળખ નીતિન પટણી તરીકે થઈ હતી. સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઈ જુની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મળતી વિગતો પ્રમાણે પહેલા તેનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં તિક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યારે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં
આ સમગ્ર બાબતે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ કોણ હતી તે બાબતે કોઈ ચોક્કસ વિગતો મળી નથી. જેથી પોલીસે આરોપી હત્યારાઓને ઝડપી પાડવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસ દ્વારા સત્વરે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આવી ધટનાઓ વધી રહી હોવાથી પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપો છે. ધોળા દિવસે કોઈની હત્યા કરી દેવામાં આવે છે તે કોઈ નાની વાત નથી! આ ગુનેગારોમાં કેમ કાયદાનો કોઈ ડર નથી તે પણ એક પ્રશ્ન
આ પણ વાંચો…સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસઃ આવતીકાલે વેપારીઓ પાળશે બંધ, ક્રાઈમ બ્રાન્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…