અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદીઓ સાચવજો: કોરોનાથી દર કલાકે ત્રણ કેસ અને એક ડિસ્ચાર્જ

અમદાવાદઃ શહેર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. શહેરમાં 4 જૂને કોરોનાના 71 કેસ નોંધાયા હતા અને એક સંક્રમિતનું મોત થયું હતું. જ્યારે 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દર કલાકે ત્રણ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયા બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું ન મૃત્યુ થયું હતું. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થયો હતો અને ત્રણેય મૃતક મહિલા છે.

અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. એક અઠવાડિયા પહેલા શહેરમાં માત્ર 76 દર્દીઓને કોરોના થયો હતો, જ્યારે અત્યારે તેમાં ત્રણ ગણો વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 241ને પાર થઈ છે. તેમાંથી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેટ છે.

3 જૂનના રોજ રાજ્યમાં નવા 108 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી હતી. જેમાંથી 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 441 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

દેશના આ 5 રાજ્યોમાં છે સૌથી વધુ એક્ટિવ કેસ

કોવિડ-19 ડેશ બોર્ડ મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4302 પર પહોંચી છે. કેરળમાં સૌથી વધુ 1373 એક્ટિવ કેસ છે. બીજા નંબરે મહારાષ્ટ્રમાં 510, ત્રીજા નંબરે ગુજરાતમાં 461, ચોથા ક્રમે દિલ્હમાં 457, પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળમાં 432 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો….કચ્છમાં કોરોનાની રફ્તાર ચિંતાજનકઃ એકજ દિવસમાં ચાર નવા કેસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button