અમદાવાદીઓ સાચવજોઃ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ છે મહાનગરમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં એક નવજાતન શિશુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય સુરતમાં ચાર કેસ, રાજકોટમાં આઠ તેમજ જામનગરમાં એક કેસ પોઝિટિવ જોવા મળ્યા છે.
આરોગ્ય તંત્ર સતર્ક બની અને ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા તેમજ ભીડભાડથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિ પટેલે પણ લોકોને સતર્ક રહેવા તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું.
આપણ વાંચો: ભારતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો: દિલ્હીમાં 23 નવા કેસ, રાજ્યો એલર્ટ…
પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે. રાહતની વાત એ છે કે, 223 પૈકી માત્ર 11 દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે.
આ સિવાય સુરતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા છે.આ ચાર પૈકી બેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી છે. આ ચારેય કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોઈ તકલીફ નથી. આ સાથે ચારેય કોરોના દર્દી હોમ આઇસોલેશનમાં છે.
આપણ વાંચો: કોરોનાના નવા વેરિઅન્ટ્સ કેટલા ખતરનાક? ICMRએ આપી મહત્વની માહિતી, જાણો શું કહ્યું
રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ કોરોનાના કેસોમાં વધુ આઠ નવા કેસ જોવા મળ્યા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 24 કેસો એક્ટિવ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસોના આંક 19 પર પહોંચ્યો હતો. જે ઘણી ચિંતા જનક બાબત છે. આરોગ્ય તંત્ર સતર્ક બની અને ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 19 નવા કેસ નોંધાવાને કારણે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યા છે. સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગે લોકોને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ, મુંબઈના સૌથી વધુ…
જોકે હાલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગંભીર કેસો જોવા મળ્યા નથી. તાવ, શરદી અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે. દર્દીએ ભીડવાળી વિસ્તારમાં ન જવું તેમજ માસ્ક પહેરવું જરૂરી છે. હાલ કોમ્યુનિટી ટ્રાન્સપમિશન જોવા મળી રહ્યું છે
અમદાવાદમાં નવજાત શિશુને જન્મતા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. થયો છે. હાલ બાળકને એનઆસીયુમાં રાખવામાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે.
અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. મહિલાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સોલા સિવિલમાં કોરોનાના કુલ 2 દર્દી સારવાર હેઠળ છે. બાળક જન્મ્યું ત્યારે માતા કોરોના પોઝિટિવ હતી, જેના કારણે બાળકને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
આપણ વાંચો: અમદાવાદીઓ સાચવજો, શહેરમાં એક સાથે નોંધાયા કોરોનાના 7 કેસ…
નવજાત શિશુ બે દિવસનું હોવાથી તેમજ તેનું વજન ઓછું હોવાને કારણે એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે, જેથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસ સામે ડરવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવી જોઇએ. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ, પણ કોઈ એવી સ્થિતિ નથી અને વાઇરસનો વેરિયન્ટ ખતરનાક નથી એટલે હજુ કોઈ એસઓપી બનાવી નથી.
જો કોઈ લક્ષણો જોવા મળે તો પરિવાર કે અન્ય કોઈને ચેપ ન લાગે એ માટે પોતાને આઈસોલેટ કરી લેવા જોઇએ. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે લક્ષણો જણાય ત્યારે તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવું. આ ઓમિક્રોનનો વેરિયન્ટ છે અને બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી છે.
તરત સારવાર મળી જાય તો આ સામાન્ય ન્યુમોનિયા જેવો જ છે. ભારતમાં બે વેરિયન્ટ જોવા મળ્યા છે અને એવા જ સિમ્પ્ટમ્સ ગુજરાતના કેસમાં છે એટલે ગુજરાતમાં પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટ્સ એલએફ.7 અને એનબી.1.8.1 હશે.