એરક્રેશઃ ઈન્સ્યોરન્સ ક્લેમ ઝડપી બનાવવા અને પરિવારજનોના ટ્રોમા દૂર કરવા ખાસ ડેક્સ

અમદાવાદ: ગુરવારે ટેક ઓફના તુરંત બાદ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશ થતા 270 લોકોના મોત નીપજ્યા (Ahmedabad Airplane Crash) છે. DNA ટેસ્ટ મારફતે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે, મૃતકોના પરિવારજનો અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital) પહોંચી રહ્યા છે. આ દરમિયાન પરિવારોને વીમા અને વળતરના મેળવવા સરળતા રહે એ માટે હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આઘાતમાંથી પસાર થઇ રહેલા પરિવારજનોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકોની ટીમ ( psychiatric teams) પણ તૈનાત કરવામાં આવી છે.
મૃતક મુસાફરોના વારસદારોને વીમા અને વળતર માટેની પ્રક્રિયામાં મદદ મળી રહેએ માટે માટે જિલ્લા કલેક્ટરોએ એકાઉન્ટ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સહિત નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે.
ઈન્સ્યોરન્સ મેળવવા મુશ્કેલી નહીં પડે:
ઈન્સ્યોરન્સ રેગ્યુલટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (IRDA)ની ગાઈડલાઈન્સ અનુસાર, સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ જનરલ ઇન્શ્યોરન્સનું કામ સાંભળી રહી છે, જ્યારે HDFC લાઇફ લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી જીવન વીમા કંપનીઓનું નેતૃત્વ કરી રહી છે.
પરિવારોને માર્ગદર્શન આપવા અને તેમના કલેઈમ ઝડપથી અને અસરકારક રીતે પ્રોસેસ કરવા માટે હોસ્પિટલમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, એચડીએફસી લાઇફ અને એલઆઈસી માટે હેલ્પડેસ્ક શરુ કરવામાં આવ્યા છે. પરિવારો સંબંધિત વીમા કંપનીઓના નોડલ અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે એ માટે તેમને કોન્ટેક્ટ ડીટેઈલ્સ પણ આવામાં આવી રહી છે.
મનોચિકિત્સકો પરિવારજનોને મદદ કરી રહ્યા છે:
સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના 100 સ્ટાફ સહીત 855 થી વધુ હેલ્થ વર્કર્સ તૈનાત છે. પોતાના પ્રિયજનોને ગુમાવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હોસ્પિટલ પહોંચીને બળી ગયેલા મૃતદેહ જોયા બાદ ઘણા લોકોને આધાતમાં સરી પડ્યા છે.
શોકગ્રસ્ત પરિવારો કાઉન્સેલિંગ અને તાત્કાલિક ઈમોશનલ સપોર્ટ આપવા માટે બી જે મેડિકલ કોલેજ દ્વારા ત્રણ મુખ્ય સ્થળો – ડીએનએ સેમ્પલિંગ સેન્ટર, સિવિલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ અને પોસ્ટમોર્ટમ વિભાગ – પર મનોચિકિત્સક ટીમો તૈનાત કરવામાં આવી છે.
એક વરિષ્ઠ મનોચિકિત્સકે જણાવ્યું હતું “આ સંબંધીઓ જાણે છે કે તેમના પ્રિયજનો હવે હયાત નથી, પરંતુ તેઓ આ હકીકત સ્વીકારી સકતા નથી. ઘણા લોકો મૃતદેહો જોવાનો આગ્રહ રાખે છે. કેટલાક લોકો મૃતકના મોબાઇલ નંબર પર ફોન કરતા રહે છે, એવી આશા સાથે કે રીંગ વાગશે.”
ડોક્ટરોના જણાવાય મુજબ ભાવનાત્મક રીતે મુશ્કેલ કેસ આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું અમે ખાતરી કરી છે કે શોકગ્રસ્ત પરિવારો માટે સમગ્ર હોસ્પિટલમાં માનસિક સહાય ઉપલબ્ધ રહે.
જિલ્લા વહીવટીતંત્ર સહકાર આપી રહ્યું છે:
જિલ્લા વહીવટીતંત્ર મુસાફરોની યાદી અને અન્ય દસ્તાવેજો પુરા પાડી રહ્યું છે, જેથી વીમા કંપનીઓને કલેઈમ તાત્કાલિક પ્રોસેસ કરવામાં મદદ મળી શકે. અત્યાર સુધીમાં, રાજ્યની હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમમાં લગભગ 1,700 કોલ મળ્યા છે, અને દરેક કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત પરિવારજનો અમદવાદમાં રોકાણની વ્યવસ્થા રાજ્યના માર્ગ અને મકાન વિભાગે કરી છે. તેમને હોસ્પિટલ સુધી પહોંચવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આપણ વાંચો: અમદાવાદ એરક્રેશ ઈફેક્ટઃ પેસેન્જર્સની પહેલી પસંદ બની 11A સીટ, જાણો ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી
એર ઇન્ડિયાની ટીમ હાજર:
પરિવારોને મદદ કરવા માટે એર ઇન્ડિયાની એક ટીમ ચોવીસ કલાક સિવિલ હોસ્પિટલમાં તૈનાત છે. એર ઇન્ડિયા મૃતકોના સંબંધીઓને મફત ફ્લાઈટ ટિકિટો પૂરી પાડી રહી છે.